Gujarati News

Gujarati News

News of Monday, 31st October 2022

મોરબીની હોનારતને પગલે જામનગરમાં લોહાણા સમાજનાં સમૂહ ભોજનનો કાર્યક્રમ રદ્દ

જામનગર લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઇ લાલની ઘોષણા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩૧: મોરબીમાં થયેલી ગંભીર હોનારતના અતિ દુઃખદ સમાચાર સાંપડયા પછી જામનગરમાં જલારામ જયંતિની ઉજવણી અંતર્ગત ચાલી રહેલો રાસ - ગરબાનો કાર્યક્રમ અટકાવીને લોહાણા સમાજના આગેવાનોની તાકિદે બેઠક મળી હતી. આ બેઠકમાં જલારામ જયંતિ નિમિત્તે આજે યોજાયેલું લોહાણા સમાજના સમૂહ ભોજનનો કાર્યક્રમ રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે તેમ જલારામ જયંતિ મહોત્‍સવ સમિતિ વતી જામનગર લોહાણા સમાજના પ્રમુખ જિતુભાઇ લાલે જાહેર કર્યુ છે.

 

(11:17 am IST)