Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

જામજોધપુરના ધુનડામાં પૂ. જેન્તીરામબાપાને સાંત્વના આપતા કલાના ઉપાસકો

જુનાગઢ :.. જામજોધપુર તાલુકાના ધુનડા સંત પુરણધામ આશ્રમના સંસ્થાપક પૂ. જેન્તીરામબાપાના પુત્ર શાસ્ત્રી ભાવેશભાઇ શિલુ ગત તા. ર૦ મેના રોજ બ્રહ્મલીન થતા દેશ-વિદેશના ભકતોમાં શોક છવાયો છે. પૂ. જેન્તીરામબાપા સાથે આત્મીયતાથી જોડાયેલ સાધુ-સંતો વિવિધ ક્ષેત્રના આગેવાનો આજે દોઢ માસ જેટલો સમય વિતવા છતા ધુનડા મુકામે રૂબરૂ આવી. પૂ. જેન્તીરામબાપાને સાંત્વના આપી દુઃખમાં સહભાગી થઇ રહ્યા છે. ઉપરોકત તસ્વીરમાં પૂ. જેન્તીરામબાપાને સાંત્વના આપતા લોકસાહિત્યકાર દેવરાજભાઇ ગઢવી તેમજ સંતવાણીના આરાધક હરસુખગીરીબાપુ ગોસ્વામી નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા જાુનાગઢ)

(11:41 am IST)