Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

બગસરાના ભદ્રકાળી માતાજી મંદિરે સમુહ યજ્ઞોપવિત

રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહમસમાજના પ્રવકતા જયંતભાઈ ઠાકર , સમગ્ર મીડીયા ઈન્ચાર્જ હરેશભાઈ જોષીની   એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયુ છે કે બગસરાના સુડાવડ ગામે ભદ્રકાળી માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમજ ભારતી વિદ્યા તેજક સહાય ટ્રસ્ટ- રાજકોટના ભારતીબાળા રમેશભાઈ ઠાકરના   સહયોગથી બગસરાાના સુવાવડ  ગામે આવેલ ભદ્રકાળી માતાજીના મંદિરે ધ્વીતીય સમુહ યજ્ઞોપવિત્ર સંસ્કારનું આયોજન હાથ ધરવામાં આવેલ. ના યજ્ઞોપવિત સંસ્કારમાં ૧૨ જેટલા બટુકોએ યજ્ઞોપવિત્ર ધારણ કરી હતી. કુળગુરૂ રામદાસ બાપુ તથા નિર્મોહી અને અખાડા મહંતશ્રી રાજેન્દ્ર બાપુના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ સમુહ યજ્ઞોપવિત્ર માં રાજકોટના મેયર બીનાબેન આચાર્ય, ઓલ ઈન્ડીયા લો કમિશનના સંદસ્ય અને રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજ, રાજકોટ જિલ્લા સમસ્ત બ્રહમસમાજના પ્રમુખ પંકજભાઈ   રાવલ, ઓલ ઈન્ડીયા મારૂતી કુરીયરના મેનેજીંગ ડાયરેકટર રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ કાર્યાલયમંત્રી હરેશભાઈ જોષી, મહાનગરપાલિકા, રાજકોટના ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાકર, શહેરના બ્રહમઅગ્રણી જાનીસાહેબ, ખોડીયાર મંદિર સુડાવડના સીતારામબાપુ, ચેતન મહારાજ, આઈજીપી જુનાગઢ રેન્જ સુભાષભાઈ ત્રિવેદી, આઈ. જી., રાજકોટ શશીકાંતભાઈ ત્રિવેદી, હીતેશભાઈ જોષી, અશોકભાઈ ઠાકર, શેલેષભાઈ જોષી, જીતુભાઈ પંડયા, સુરેશભાઈ પંડયા સહીતના બ્રહ્મઅગ્રણીઓએ ઉપસ્થિત ૨હી બટુકોને આર્શિવચન પાઠવેલ

(11:57 am IST)