Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

ભાયાવદરના કોળી વૃધ્ધ કારાભાઇનો બિમારીથી કંટાળી કેરોસીન પી આપઘાત

રાજકોટ તા. ૩૦: ભાયાવદરમાં હાઇસ્કૂલ રોડ પર રહેતાં કારાભાઇ ભાણજીભાઇ ભીલોટા (ઉ.૬૫) નામના કોળી વૃધ્ધે સાંજે કેરોસીન પી લેતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રાત્રીના મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને ધર્મેશભાઇ ડાંગરે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર કારાભાઇ છુટક મજૂરી કરતાં હતાં. સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. તેમને અગાઉ હાર્ટએટેક આવ્યો હતો અને હાલમાં પણ બિમાર રહેતાં હતાં. તેનાથી કંટાળીને આ પગલું ભરી લીધાનું ખુલ્યું હતું.

(11:28 am IST)