Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

ખીરસરા ગુરૂકુલમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી

જામકંડોરણા : શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલ ખીરસરામાં ૭૦માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રમુખ શ્રી શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજી સ્વામીની સુજ્ઞ પ્રેરણા સાથે ગુરૂકુલ સંચાલિત પાંચેય શાળાઓના બાલ - બાલિકાઓએ પ્રવર્તમાન સમયને અનુરૂપ અદ્દભૂત અવનવી પ્રેરક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. ગુરૂકુલના સંચાલક શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરેલ હતું અને કન્યા ગુરૂકુલ જામટીંબડીમાં આવતા વર્ષથી ધો.૧ થી ૧૨માં અભ્યાસ કરતી દિકરીઓને રહેવા જમવા સાથે સ્કુલ, ટ્યુશન, કોમ્પ્યુટર જેવી તમામ શૈક્ષણિક સુવિધાઓ સાથેની જાહેરાત કરી હતી. પ્રજાસત્તાક દિન ઉજવણીની તસ્વીરો. (તસ્વીરઃ મનસુખભાઈ સી. બાલધા, જામકંડોરણા)

(2:01 pm IST)