Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

વિસાવદર તાલુકાની આંગણવાડીમાં સુખડી-બિસ્કીટનું વિતરણ કરતા પૂ. મુકતાનંદબાપુ

 જુનાગઢ : ચાંપરડા બ્રહ્માનંદ વિદ્યાધામના સંસ્થાપક ક્રાંતિકારી કરૂણામૂર્તિ સંત એવા પૂ. મુકતાનંદજી બાપુએ ગઇકાલે વિસાવદર તાલુકા પ૪ આંગણવાડી (નર્સરી સ્કૂલ)ના બાળકોને ચોખ્ખા ઘીમાં બનાવેલ સુખડી અને બિસ્કીટનું વિતરણ કર્યું હતું. ઉપરોકત બાળકોને ભાવથી સુખડી અને બિસ્કીટનું વિતરણ કરતા પૂ. મુકતાનંદબાપુ સાથે આંગણવાડીના બહેનો નજરે પડે છે. પૂ. બાપુએ જણાવ્યું હતું કે વૃક્ષને ફળદાયી બનાવવા મુળને જ પોષણ આપવું જરૂરી છે. આજનો તંદુરસ્ત બાળક આવતીકાલનું ઉજવળ ભવિષ્ય છે. (અહેવાલ-વિનુ જોષી, તસ્વીર-મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(11:39 am IST)