Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

જામજોધપુર નજીક સત્તાપરથી ઉદેપુર વચ્ચેના રસ્તા પર કોઝવેમા ધસમસતા પ્રવાહમાં ચાર લોકો તણાયા : ભાઈ અને બહેનનું પાણીના પ્રવાહમાં તણાવાથી ડુબવાથી મોત : બે માસૂમ નાની બાળકીઓની પાણીમાં શોધખોળ ચાલુ : જામજોધપુર મામલતદાર સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે

જામનગર : જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે જોરદાર વરસાદ પડ્યો હોવાથી તે જ તાલુકામાં આવેલું ઉદેપુર ગામના વિસ્તારમાં આવેલી શેલ નામે ઓળખાતી નદીમાં ૪ વ્યક્તિઓ તણાયા છે.

ટોટલ ૫ વ્યક્તિઓ સતાપર તરફ દર્શન કરવા જઇ રહ્યા હતા ત્યારે વચ્ચે આવતી શેલ નદીને ઓળંગતા કુલ ૪ વ્યક્તિઓ તણાયા હતા. તેમાંથી ભાઈ - બહેન અને તે બહેનના ૨ છોકરા તણાયા જેમાં ભાઈ થતા બહેન બન્નેના નિષપ્રાણ દેહ મળી આવેલ છે જ્યારે બહેન ની બે દીકરી ઉ.વ. 8 તથા ઉ.વ. 3 ની શોધખોળ ચાલુ છે. ઘટનાની જાણ થતાં જામજોધપુર મામલતદાર સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે.

(5:49 pm IST)