Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

પૂ.મોરારીબાપુ ઉપર હુમલાના પ્રયાસના વિરોધમાં ઉપવાસ આંદોલન કરનારા ૪ યુવાકોની અટક બાદ છુટકારો

 ઉપલેટા, તા.૨૯: કાલે ઉપલેટા માં આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવતા આહીર યુવાનની ધરપકડ ના ટેકામાં આજે ચાર યુવાનોએ આંદોલન ચલાવતા ચારની ધરપકડ ઉપલેટા તારીખ પબુભા માણેક ના મોરારીબાપુ પર કરવામાં આવેલા હુમલા ના પ્રયાસમાં ઉપલેટા આહીર યુવાન મયુર દિનેશભાઇ સોલંકી દ્વારા સાત દિવસથી આમરણાંત ઉપવાસઆંદોલનઙ્ગ ચલાવવામાં આવતું હતુંઙ્ગ ગઈકાલે તમને ઉપલેટા પોલીસે તેમના ઘર સામે ઉપવાસ છાવણીમાંથી પકડીને કાયદેસરની કાર્યવાહી કરતા મામલતદાર પાસે રજૂ કરતા મામલતદાર તેમનો કોરોના રીપોર્ટ કરવાનો હુકમ કરતા મયુર સોલંકી ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતો દરમિયાન મયુર સોલંકી ના ઉપવાસ આંદોલનના ટેકામાં આજે ઉપલેટાના ચાર યુવાનો ધર્મેશ ચંદ્રવાડીયા ગોપાલભાઈ ચંદ્રવાડીયા ભરત બાદ્યોરા અને મનીષ જલુ એ ઉપલેટા બાપુના બાવલા ચોકમાં પ્રતિક ઉપવાસ ઉપર બેસવાની જાહેરાત કરી ઉપવાસી છાવણીમાં જતા છાવણીમાં જાયએ પહેલાં જ આ ચારેયઆહિર યુવાનોની ઉપલેટાઙ્ગ પોલીસે અટક કરી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા જોકે આહીર યુવકો દ્વારા ચલાવવામાં આવતો આંદોલન સતત ચાલુ રાખવા નો નિર્ણય આંદોલનકારો દ્વારા કરવામાં આવી રહ્યો છે દરરોજ બે ચાર વ્યકિત ઉપવાસ આંદોલનની જાહેરાત કરશે અને પોલીસ ધરપકડ કરે તો જામીન ન દેવાના મક્કમ ઇરાદા સાથે સાથે પોલીસ સ્ટેશનમાંઙ્ગ આંદોલન આગળ ચલાવી રહ્યા છેઙ્ગ ત્યારે ઉપલેટાના આહીર યુવાનો દ્વારા ચલાવવામાં આવી રહેલ આંદોલનનેઙ્ગ ત ઉપલેટામાં બહો ડી સંખ્યામાં રહેલ આહીર સમાજ આ અંગે કેવા પ્રત્યાઘાતો આપે છે તે જોવાનું રહ્યું.

આ ચારેય યુવકોને પોલીસે અટક બાદ છોડી દીધા હતા.

(11:50 am IST)