Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

જુનાગઢ ગિરનાર રોપ-વેની કામગીરીમાં ફાઉન્ડેશનનુ કામ પુર્ણઃ વિજયભાઇને માહિતી આપતા આગેવાનો

 જુનાગઢઃ ગઇકાલે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને સોમનાથ ગિરનાર રોપવે વિશે વાત કરતા ઝડપથી પૂર્ણ કરવા અને ત્યાં સ્થળ પર ચાલતા કામ વિશે પુછેલ રોપવેની ચાલતી કામગીરી ની મૂલાકાત લીધી હતી ઉષા બ્રેકો કંપનીના અધિકારી એ માહિતી આપતા જણાવેલ કે ફાઉન્ડેશનનું કામ પૂ રું થયું છે અને જુદા જુદા સ્થળે સ્ટેશન બનાવવા માટેનું મટીરીયલ આવી ગયેલ છે કામગીરી ઝડપી ચાલે છે સ્થળની માહિતી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને મંત્રી વિભાવરીબેનને આપી હતી. ગીરનાર ઓથોરિટીના સભ્ય શૈલેષભાઇ દવે, કોર્પોરેટર મોહનભાઇ પરમાર, ચંદ્રિકાબેન રાખસિયા, રાકેશભાઇ ધુલેશિયા, વિજયભાઇ ઓડેદરા, નરેશભાઇ સાસિયા, સંજયભાઇ ધોરાજીયા એ મુલાકાત લઇ ઝડપી કામગીરીને બિરદાવી. આજે જૂનાગઢમાં રોપવે માટેનો સામાન આવ્યો હતો. ટૂંક સમયમાં રોપવે નું કામ ચાલુ થશે. (અહેવાલઃવિનુ જોષી. તસ્વીર.મુકેશ વાઘેલા)(૨૩.૭)

(3:56 pm IST)