Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

કાલે વિઠ્ઠલભાઈ રાદડિયાની પૂણ્‍યતિથીઃ ધોરાજીમાં રકતદાન કેમ્‍પ-શ્રધ્‍ધાંજલી કાર્યક્રમ

જયેશભાઈ રાદડિયા તથા આગેવાનો ઉપસ્‍થિત રહેશેઃ ખોડલધામ સમિતી-હિન્‍દુ યુવા સંઘ સહિતની સંસ્‍થાઓ દ્વારા આયોજન

 

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા. ૨૮ :. સૌરાષ્‍ટ્રના છોટે સરદાર અને ખેડૂતોની મદદ માટે હંમેશા હાજર રહેનારા અને ગરીબોના બેલી એવા સ્‍વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની બીજી પૂણ્‍યતિથિ નિમિતે કાલે ગુરૂવારે ધોરાજીના લેઉઆ પટેલ સાંસ્‍કૃતિક ભવન ખાતે ખોડલધામ સમિતિ દ્વારા મહારકતદાન કેમ્‍પ યોજાશે.

દિવંગત ખેડૂત નેતાની બીજી પૂણ્‍યતિથિ નિમિતે ધોરાજીના વિઠ્ઠલભાઈ રાદડીયા માર્ગ ખાતે હિન્‍દુ યુવા સંઘ દ્વારા તા. ૨૯-૭-૨૧ના સવારે હિન્‍દુ યુવક સંઘના પ્રમુખ હરકીશનભાઈ માવાણી અને યુવાનો દ્વારા સ્‍વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રતિમાને પૂષ્‍પાંજલી કરાશે. તેમજ ધોરાજી ખાતે આવેલ બજરંગ ગ્રુપ ખાડીયા દ્વારા તા. ૨૯-૭-૨૧ના સવારે ભુલકા ગરબી ચોક ખાતે સ્‍વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્‍ધાંજલીની કાર્યક્રમ રાખેલ છે.

આ તકે સમગ્ર વિસ્‍તારના લોકો દિવંગત ખેડૂત નેતાને શ્રધ્‍ધાસુમન અર્પણ કરશે અને કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા ખાસ ઉપસ્‍થિત રહેશે. તેમજ ધોરાજીના ખોડલધામ સમિતિ અને ખોડલધામ યુવા સમિતિ તેમજ ખોડલધામ મહિલા સમિતિ દ્વારા લેઉઆ પટેલ સાંસ્‍કૃતિક ભવન ખાતે તા. ૨૯-૭-૨૧ને ગુરૂવારે સવારે ૮ થી ૧ મહારકતદાન કેમ્‍પ યોજાશે. આ રકતદાન કેમ્‍પમાં ધોરાજીની જુદી જુદી સામાજીક સંસ્‍થાઓના હોદેદારો, જુદા જુદા યુવક મંડળ, મહિલા મંડળ અને સહકારી પરિવાર દ્વારા રકતદાન કરી લોકલાડીલા ખેડૂત નેતા સ્‍વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્‍ધા સુમન અર્પણ કરશે. આ તકે કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા અ્‌ને વિપુલભાઈ ઠેસીયા રકતદાતાઓને સન્‍માનીત કરશે.

(10:13 am IST)