Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

ખંભાળીયામા જેટકોના કોન્‍ટ્રાકટર દ્વારા પાંચમી વખત પાણીની મેઇન પાઇપ લાઇન તોડી નાંખ્‍યાનો આક્ષેપ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.ર૭ : ચાર રસ્‍તા પાસે જેટકોના રેલવેની ઇલેકટ્રીક લાઇનના કામમાં કોન્‍ટ્રાકટર દ્વારા ગઇકાલે મમતા પરોડા હાઉસ પાસે પાણીની મેઇન લાઇન તોડી નંખાતા લોકોને વાહન ચાલકો મુશ્‍કેલીમાં મુકાઇ ગયા હતા. જેટકોના કોન્‍ટ્રાકટર દ્વારા સતત પાંચમી વખત આવી રી તે લાઇનો તોડી અનેક વખત મોટી સંખ્‍યામાં લોકો પાણી વગરના રહેતી હોય તથા લાખો લીટર પાણી વેડફાતુ હોય આ બાબતે જેટકોના સત્તાવાળાઓને ફરીયાદ પણ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી છે. તથા મુખ્‍ય ઇજનેર પટેલ દ્વારા આ બાબતે કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે હવે જો લાઇન તુટે અને નુકશાન થાય તો કોન્‍ટ્રાકટર સામે પોલીસ કાર્યવાહી કરવા માટે પણ પાલિકા તંત્ર દ્વારા તજવીજ હાથ ધરાશે.

(1:25 pm IST)