Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

પોરબંદરમાં સુરભી કલાવૃંદ દ્વારા સમરકેમ્‍પ યોજાયોઃ ર૦૦ વ્‍યકિતઓને લાભ

પોરબંદર તા.ર૭ : કલા સંસ્‍થા સુરભી કલાવૃંદ દ્વારા ભારતીય જનતા પાર્ટીના સહયોગથી થયેલ (સમર કેમ્‍પ) ‘‘નૃતાંત ર.૦'' જે નિઃશુલ્‍ક યોજાયો હતો. આ સમર કેમ્‍પમાં  ર૦૦ વ્‍યકિતઓએ ભાગ લીધો હતો.

નૃતાંત ર.૦માં ગુરૂઓ દિપક શેખર (ફિલ્‍મ મેકિંગ), પ્રતિક શર્મા, (થિયેટર - એકિટંગ) રવી રાઠોડ (જીમ્‍નાસ્‍ટીક) નૃપેશ પુરબિયા (હિપ હોપ ડાન્‍સ) માધુરી લોઢીયા (કલાકૃતિ) તથા સુરભી રાણિંગા (બોલી નાટયમ) સેવાઓ આપી હતી.

છેલ્લા દિવસે અસ્‍માવતી રિવર ફ્રન્‍ટના એમફીથિયેટરમાં એક અદભુત કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો.

આ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ, નગરપાલિકા પ્રમુખ સરજુભાઇ કારીયા, ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ જીતેશભાઇ કારીયા, શ્રીમતી મીતાબેન થાનકી, શ્રીમતી નિમિષાબેન જોષી, શ્રીમતી સરોજબેન કકકડ, શ્રીમતી ચંદ્રિકાબેન તન્‍ના, રવીભાઇ નેભનાની  વગેરે ઉપસ્‍થિત રહયા હતા. આ કાર્યક્રમમાં સમર કેમપના ગુરૂઓ પાસેથી શિક્ષા લેનાર બાળકો અને યુવાનોએ ધમાકેદાર પરફોર્મન્‍સ આપ્‍યુ હતુ. અમને એ જણાવતા ખુબ જ આનંદ અને ગર્વ થાય છે કે સુરભીકલાવૃંદની છેલ્લા રપ વર્ષની પ્રવૃતિઓનો ચિતાર તથા સ્‍વાગત પ્રવચન સ્‍પીકમેકેના ચેરમેન જીતુભાઇ રાણીંગાએ કર્યુ હતુ અને કાર્યક્રમનું સંચાલન રાણીંગા તથા નિશા દોશીએ કર્યુ હતુ.

(1:21 pm IST)