Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ભૂજમાં ચાચા નહેરૂની પ્રતિમાને બદલે, ફોટોને કરાયું હાર રોપણ: સીડી કે પગથિયાની વ્યવસ્થાનો અભાવ

પાલિકાના સત્તાધીશોએ નીચે ખુરશી પર નહેરુનો ફોટો રાખી ફુલહાર અપર્ણ કર્યા

ભુજ :ચાચાના ઉપનામથી જાણીતા જવાહરલાલ નહેરુની 55 મી પુણ્યતિથિ નિમિતે ટાઉનહોલ પાસે તેમને અંજલિ અપાઈ હતી.જો કે , ચાચા નહેરુની પ્રતિમા પાસે સીડી કે પગથિયાંની કોઈ વ્યવસ્થા ન હોવાથી પાલિકાના સત્તાધીશો એ નીચે ખુરશી પર જવાહરલાલ નહેરુનો ફોટો રાખી ફુલહાર અપર્ણ કર્યા હતા પણ પ્રતિમાને હારા રોપણ ન કર્યું હતું.

  પાલિકા પ્રમુખ લતાબેને જણાવ્યું કે , અહીં સીડીની વ્યવસ્થા ગોઠવવામાં આવે તો ટ્રાફિકને અડચણ થઈ શકે તેમ હોઈ સીડી ગોઠવવામાં આવી નથી..બંને મહાનુભાવોને તેમની તિથિ પર યાદ કરીને પાલિકાના શાસકો , કાઉન્સિલરો ,ભાજપના નેતાઓ દ્વારા અંજલિ આપવામાં આવી હતી.

(9:21 pm IST)