Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

જામનગરમાં સંતવાણી

જામનગર ભજનાનંદી ગ્રુપ દ્વારા યોજાયેલ ગૌસેવાના લાભાર્થે સંતવાણી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભકતોએ રસપાન કર્યું હતું. તેમાં વિશેષ ઉપસ્થિતિ મહેમાન કલાકાર જયમત દવે તેમજ ગુજરાતમાં જેમને ભજનાનંદી નું બિરુદ મળ્યું છે તે પાલુભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન સુરતમાં બનેલ ઘટનાની જેમાં ૨૩ જેટલા બાળકો અવસાન પામ્યા તેમને શ્રદ્ઘાંજલિ અર્પણ કરી હતી.આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ભરતભાઈ ફલીયા, ખબર કનેકટના એડિટર કિંજલ કારસરીયા, રણજીત નગર વેપારી એસોસીએશન, હિન્દુ સેના પ્રમુખ પ્રતીક ભટ્ટ વોર્ડ નંબર ૧૪ ના કોર્પોરેટર દિનેશ ગજરા, મનીષ કટારીયા દિનેશભાઈ ભદ્રા, લીલાવતીબેન ભદ્રા, હાજર રહ્યા હતા જામનગરમાં ભજનાનંદી ગ્રુપ દ્વારા રણજીત નગર પટેલ સમાજ પાસે આવેલ પ્રણામી ગ્રાઉન્ડમાં શનિવારે ભજન-સંતવાણીનું આયોજન કરાયું હતું. ગૌસેવાના લાભાર્થે યોજાયેલા સંતવાણીના કાર્યક્રમ દરમ્યાન લોકોએ દ્યોર પણ કરી હતી.(તસ્વીરઃ કિંજલ કારસરીયા,જામનગર)

(1:23 pm IST)