Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

વિસાવદરમાં દેવજીભાઈ સોલંકીની હત્યામાં જમાઈ અને ૨ દોહિત્રોની ધરપકડ

મૃતકની પુત્રીને પકડી પાડવા તજવીજ

જૂનાગઢ, તા. ૨૭ :. વિસાવદરના વૃદ્ધની હત્યામાં પોલીસે રાત્રે મૃતકના જમાઈ અને બે દોહિત્રોની ધરપકડ કરી દિકરીને પકડવા તજવીજ હાથ ધરી છે.

વિસાવદરમાં કાબરાના કાંઠે રહેતા દેવજીભાઈ મણીલાલ સોલંકી (ઉ.વ. ૬૫) નામના વૃદ્ધની રવિવારના સવારે જમાઈ અશોક ચીનાભાઈ બામરોળીયા તથા દોહિત્રો મેહુલ અશોક, રાહુલ અશોક અને કંચને બેટ વડે હુમલો કરીને હત્યા કરેલ.  કેરીના બગીચામા ભાગ રાખવા અંગે થયેલા મનદુઃખમા વૃદ્ધની થયેલી હત્યામાં વિસાવદર પોલીસે મૃતકના પત્ની મુકતાબેનની ફરીયાદ લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ હુમલામાં મરનાર વૃદ્ધના પુત્ર અજય તથા સંજય અને પૌત્ર આશિષ સંજયને પણ ઈજા થઈ હતી.

વિસાવદરના પી.આઈ. કે.કે. ઝાલાને ત્વરિત તપાસ હાથ ધરીને ગણતરીના જ કલાકોમાં રાત્રીના ૮ વાગ્યે દેવજીભાઈની હત્યા સબબ જમાઈ અશોક ચીનાભાઈ તેમજ દોહિત્રો મેહુલ અને રાહુલની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.

જ્યારે કંચનબેન અશોકને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

પી.આઈ. ઝાલાએ પકડાયેલા પિતા-પુત્રોને વધુ તપાસ અને પુછપરછ માટે રીમાન્ડ ઉપર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

(12:00 pm IST)