Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

પોરબંદરમાં બંધ ર મોટા ઉદ્યોગો દિવાળી પહેલા ચાલુ થશે કે કેમ... ? : કામદારોને સતાવતો પ્રશ્ન

કામદારો કહે છે કે હૈયાધારણા બાદ બંધ ઉદ્યોગો સમયસર ચાલુ થાય તેવા સંજોગો દેખાતા નથી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.ર૬ : દિવાળીને આડે માત્ર હવે ગણતરીના દિવસો બાકી રહયા છે. ત્યારે બંધ ર  મોટા સૌરાષ્ટ્ર કેમીકલ્સ (નિરમા) અને ઓરીએન્ટ એબ્રેસીઝ દિવાળી પહેલા  ધમધમતા થઇ જશે.

તેવી રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ આપેલ હૈયા ધારણા મુજબ બંન્ને બંધ ઉદ્યોગ સમયસર ચાલુ થાય તેવા સંજોગો નહી જણાતાનું કામદારો કહી રહયા છે. બંધ ઉદ્યોગ દિવાળી પહેલા ચાલુ થશે કે કેમ ? તે પ્રશ્ન હાલ તહેવારો સમયે કામદારોને સતાવી રહયો છે.

શહેરના ર મોટા ઉદ્યોગો સૌરાષ્ટ્ર કેમીકલ્સ (નિરમા) અને ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ દિવાળી પહેલા ચાલુ થઇ જશે તેવી હૈયાધારણા બાદ દિવાળી આડે ગણતરીના દિવસો બાકી રહયા છે. ત્યારે કામદારોમાં થતી ચર્ચા મુજબ બંન્ને ઉદ્યોગ દિવાળી પહેલા ચાલુ થઇજાય તે માટે તૈયારી માટેનો ધમધમાટ હાલ જણાતો નથી. બંન્ને બંધ ઉદ્યોગો કામદારોના  જણાવ્યા મુજબ આ બંધ ઉદ્યોગો દિવાળી પહેલા ચાલુ થઇ જાય તે અંગે હાલ અનિશ્ચિતતા જણાય છે. દિવાળી પહેલા બંન્ને બંધ ઉદ્યોગ શરૂ થઇજાય તેની કામદારો રાહ જોઇ રહયા છે.

(12:16 pm IST)