Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ટંકારા તાલુકા ક્ષત્રિય સમાજનું સ્નેહ મિલન અને સન્માન સમારંભ યોજાયો

તસ્વીરમાં ઉપસ્થિત ક્ષત્રિય સમાજના ઉપસ્થિત અગ્રણીઓ અને નીચેની તસ્વીરમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓનું સન્માન કરાય છે તે નજરે પડે છે. છેલ્લી તસ્વીરમાં ઉપસ્થિત ક્ષત્રિય સમાજ દ્રશ્યમાન થાય છે

ટંકારા, તા. ૨૬ :. તાલુકાના મોટા ખીજડીયા ગામે શકિત માતાજીના મંદિરે ટંકારા તાલુકા સમસ્ત રાજપૂત (ક્ષત્રિય સમાજ)નું ભવ્ય સ્નેહ મિલન તથા સન્માન સમારંભ યોજાયો હતો.

ટંકારા તાલુકામાં વસતા ક્ષત્રિય સમાજના પરિવારોનો એકબીજા સાથે પરિચય ઘનિષ્ઠ બને તે શુભ હેતુથી મોટા ખીજડીયા ગામે ટંકારા તાલુકા ક્ષત્રિય સમાજનું સ્નેહ મિલન યોજાયુ હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મોરબી જિલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખ રઘુવીરસિંહ કે. ઝાલા, મોરબી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ નિરૂભા ડી. ઝાલા, મોરબી કરણી સેનાના પ્રમુખ વિજયસિંહ ચુડાસમા, પડધરી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ તથા શ્રી હળધ્રોળ ભાયાતના પ્રમુખ પ્રવીણસિંહ સી. જાડેજા, વાંકાનેર ક્ષત્રિય સમાજના પ્રમુખ વજુભા એસ. ઝાલા, પડધરી કરણી સેનાના પ્રમુખ ભગીરથસિંહ બી. જાડેજા, વાંકાનેર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ હરેન્દ્રસિંહ આઈ. ઝાલા, વાંકાનેર કરણી સેનાના પ્રમુખ રાજેન્દ્રસિંહ ઝાલા, હળવદ-ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ સુખદેવસિંહ ઝાલા, હળવદ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ યશવંતસિંહ કે. ઝાલા તથા હળવદ કરણી સેનાના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવ્યુ હતું.

કાર્યક્રમને સફળ બનાવવા ટંકારા તાલુકા ક્ષત્રિય સમાજના પ્રમુખ પ્રદ્યુમનસિંહ કે. જાડેજા (વિરપર) તથા ઉપપ્રમુખ જયુભા બી. ઝાલા (નેકનામ) અને સમસ્ત ટીમે જહેમત ઉઠાવી હતી.(૨-૨૨)

 

(12:18 pm IST)