Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ગોંડલઃ વિરપુરની મેઇન બજાર દરબાર ચોકમાંથી દબાણ હટાવવા માંગણી

ગોંડલ તા.ર૬ : શહેરના યોગીનગર-૧૬માં રહેતા પ્રવિણસિંહ એમ. જાડેજાએ મુખ્યમંત્રીશ્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત જીલ્લા કલેકટરશ્રીને પત્ર પાઠવીને વિરપુર મેઇન રોડ બજાર દરબાર ચોકમાંથી દબાણ દુર કરવા માંગણી કરી છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે, વિરપુરના મેઇન રોડ દરબાર ચોક ખાતે આવેલી મારી મિલ્કતની આસપાસ દબાણ થયું  છે. મકાનથી આગળના ભાગમાં ૮ જેટલી કેબીનો ગેરકાયદેસર રીતે મુકાઇ ગઇ છે અને રસ્તો બંધ કરી દીધો છે.

પ્રવિણસિંહ જાડેજાએ રજુઆતમાં વધુમાં જણાવ્યું છે કે, વિરપુરનો દરબાર ચોકએ રાજવી સમયનો મહત્વનો જાહેર વિસ્તાર છે પરંતુ આ દબાણના કારણે આ ચોકની શાન ઝાંખી પડી ગઇ છે.

આ અંગે સ્થાનીક તથા તાલુકા કક્ષાએ રજુઆતો કરવા છતા દબાણ દુર ન કરાતા મુખ્યમંત્રીશ્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદ કરવામાં આવી છે.(૬.૬)

(9:52 am IST)