Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ધારીના વાવડીના ખેડૂતનો પાક નિષફળ જવાની બીકે આપઘાત :ગામમાં શોકનો માહોલ

છેલ્લા ત્રણ વર્ષથી નબળું ઉત્પાદન થતું હોવાથી 35 વર્ષીય યુવાન અનકભાઈ જેબલીયા હિંમત હારી ગયા

અમરેલી જિલ્લામાં પાક નિષ્ફળ જવાની બીકે વધુ એક ખેડૂતે આપઘાત કરતા ચકચાર મચી છે. ધારી તાલુકાના વાવડી ગામના અનકભાઈ ગભરુભાઈ જેબલિયાએ આપઘાત કર્યો છે.છેલ્લા ત્રણ વર્ષથી નબળુ ઉત્પાદન થતું હોવાથી 35 વર્ષનો યુવાન હિંમત હારી ગયો અને તેણે જીવન ટૂંકાવી લીધું હતું તેવા અહેવાલ મળે છે

   તેના પિતરાઈ ભાઈએ પોલીસને જાણ કર્યા બાદ અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખેડૂતનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. ખેડૂતના આપઘાતથી વાવડી ગામમાં શોકનો માહોલ છવાયો છે.

(8:26 pm IST)