Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

૨૮મીએ ઝવેરચંદ મેઘાણીની ૧૨૪મી જન્મજયંતી

ચોટીલા સ્થિત ઐતિહાસિક જન્મસ્થળે 'ભાવાંજલિ' અર્પણ થશે

અમદાવાદ,તા. ૨૬:મહાત્મા ગાંધીએ જેમને શ્નરાષ્ટ્રીય શાયરલૃના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યકાર, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની ૧૨૪મી જન્મજયંતી — ૨૮ ઓગસ્ટ ને શુક્રવારે – ચોટીલા સ્થિત એમના ઐતિહાસિક જન્મસ્થળ ખાતે 'ભાવાંજલિ'અર્પણ થશે.

જન્મભૂમિ ચોટીલા ઉપરાંત ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલા વિવિધ સ્મૃતિ-સ્થળોઃ બોટાદ (કર્મ-નિર્વાણભૂમિ), રાણપુર (કર્મભૂમિ), ધંધુકા (શૌર્યભૂમિ, ૨૮ એપ્રિલ ૧૯૩૦ના રોજ ભરી અદાલતમાં, ધીરગંભીર અવાજે, એમનું સ્વરચિત ગીત 'છેલ્લી પ્રાર્થના'ગાયું ને વિશાળ જનમેદની અને મેજિસ્ટ્રેટ ઇસાણીની આંખ આંસુભીની થઈ ગઈ), રાજકોટ (બાલ્યાવસ્થાની લીલાભૂમિ, શાળા-શિક્ષણનો પ્રારંભ), અમરેલી (હાઈસ્કૂલ), ભાવનગર અને જૂનાગઢ (કોલેજમાં અભ્યાસ), બગસરા (વડવાઓનું વતન) ખાતે પણ શ્રધ્ધાસુમન અર્પણ કરાશે.

૧૨૪મી મેઘાણી-જયંતી નિમિત્ત્।ે વંચિત સમાજ, નિરાધાર વિધવા બહેનો, વિચરતી જાતિ સમુદાય, દિવ્યાંગ – વિકલાંગનાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજ અને અન્ય જીવન-ઉપયોગી સામગ્રીની કીટ વિતરણનાં સેવાયજ્ઞનો આરંભ ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯) અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા કરાયો છે જરૂરીયાતમંદ પરિવારોને એક કીટમાં રૂ. ૨૫૦૦ની ઉચ્ચ ગુણવત્ત્।ાની ૪૦ કીલો જેટલી સામગ્રીઃ ઘઉ, ચોખા, તુવેરની દાળ, મગ, ચણા, મગની ફોતરાવાળી દાળ, શીંગ તેલ, ચા, ખાંડ, બેસન, મીઠું-મરચું-હળદર-ધાણાજીરૂ, સાબુ, વોશિંગ પાવડર વગેરે ભેટ આપવામાં આવે છે. ફરજ પર કોરોનાને લીધે શહીદ થયેલા વાલ્મીકિ સમાજનાં 'કોરોના વોરિયર'સફાઈ કામદાર ભાઈઓ-બહેનોનાં જરૂરીયાતમંદ પરિવારોને વિશેષરૂપે સહાય આપવામાં આવે છે.

પોતાને 'પહાડનું બાળક'તરીકે ઓળખાવતા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ (શ્રાવણ વદ પાંચમઃ નાગ પંચમી, વિક્ર્મ સંવત ૧૯૫૨)ના દિવસે ચોટીલાના એ વેળાના ગામને છેવાડે આવેલા અને અઘોરવાસ લેખાતા પોલીસ-બેડાના કવાર્ટરમાં થયેલો. બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા પિતા કાળીદાસ દેવચંદ મેઘાણી નીડર અને નેક પુરુષ હતા. પુત્રમાં ઉચ્ચ સંસ્કાર સિંચનાર હતા ધર્મપરાયણ માતા ધોળીમા. પોલીસ-પરિવાર અને પોલીસ-બેડા સાથે ઝવેરચંદ મેઘાણીનાં બાળપણનાં અનેક સંસ્મરણો તથા સ્મૃતિઓ જોડાયેલ છે. ઝવેરચંદ મેઘાણી લાગણીસભર નોંધે છેઃ શ્નઆ પોલીસ-બેડાની દુનિયા અનોખી છે. તમે એમાં ભમ્રણ કરી શકશો નહિ. એ માટે તો તમારે એ દુનિયામાં જ જન્મ ધરવો જોઈએ.' દશા શ્રીમાળી જૈન વણિક એવા મેઘાણી-પરિવારના વડવાઓનું મૂળ વતન અમરેલી જિલ્લામાં સાતલ્લી નદીને કાંઠે વસેલું ભાયાણીનું બગસરા છે.

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તકનું ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળનું આ ઐતિહાસિક મકાન સરકારી તાલુકા પુસ્તકાલયની સામે આવેલું છે. આ મકાનમાં ૨ ખંડ અને પાછળ નાનું ફળિયું છે. ભારતના પ્રધાન મંત્રી અને તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૧૦માં 'સ્વર્ણિમ ગુજરાત'ની ઊજવણી અંતર્ગત સરકાર દ્વારા ૧૧૪મી મેઘાણી-જયંતીએ સહુ પ્રથમ વખત જન્મસ્થળને જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયું હતું. પિનાકી મેઘાણી દ્વારા અહિ, સ્વખર્ચે, ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્યને નિરૂપતું રસપ્રદ સચિત્ર પ્રદર્શન તથા મેઘાણી-તકતી મૂકાયાં છે. ૨૦૨૧માંરાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫જ્રાક જન્મજયંતી આવે છે તે નિમિત્ત્।ે ચોટીલા સ્થિત જન્મસ્થળનાં આ ઐતિહાસિક મકાન તથા આજુબાજુમાં આવેલ અન્ય ઐતિહાસિક મકાનો, ઈમારતો, જગ્યાઓને સાંકળીને ભવ્ય 'સ્મારક-સંકુલ'તરીકે વિકસાવવામાં આવે તથા આ સંકુલમાં ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્યને નિરૂપતું અઘતન ર્દશ્ય–શ્રાવ્ય–મલ્ટીમિડિયા પ્રદર્શન ઉપરાંત સંશોધન-કેન્દ્ર, ગ્રંથાલય અને વાચન-કક્ષ, ઓડીટોરિયમ, મેઘાણી-પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવે તેવી વિશ્વભરમાં વસતાં સેંકડો ગુજરાતીઓની લોકલાગણી છે.

આલેખનઃ

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

(મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)

(3:12 pm IST)