Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

જામનગર જી.જી.હોસ્પિટલના આગકાંડ મામલે ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરશે

જામનગરઃ આગ લાગ્યા બાદ દોડધામ મચી ગઇ હતી અને તાબડતોબ આગને કાબુમાં લેવામાં આવી હતી.(તસ્વીરઃ કિંજલ કારસરીયાઃ જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૬: જામનગરમાં જી.જી.હોસ્પિટલમાં આગકાંડ મામલે ઉચ્ચ અધિકારીઓ આવી તપાસ કરશે. ગઈકાલે બપોરે ૨.૪૫ આસપાસ ICCU પાસેના ઇકો કાર્ડિયો યુનિટમાં ભીષણ આગ લાગી હતી.

આ આગજનીના સમાચાર મળતા જ કલેકટર રવિશંકર, કમિશ્નર સતિષ પટેલ, મેયર હસમુખ જેઠવા, શાસક પક્ષના નેતા દિવ્યેશ અકબરી સહિતના અગ્રણીઓ દોડી ગયા હતા.આ દરમ્યાન ચીફ ફાયર ઓફિસર કે.કે.બીશ્નોઈ પણ ફાયરની ટુકડી સાથે પહોંચી ગયા હતા.અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગજનીના પગલે ICCUમાં વેન્ટિલેટર પરના ૩ દર્દીઓ અને ઓકિસજન હેઠલ રખાયેલા ૬ દર્દીઓ મળી કુલ ૯ દર્દીઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટના બાદ ગાંધીનગરથી ખાસ ઇલેકિટ્રકલ અને સિવિલ ઇનજીનીયર આવવા રવાના થયા છે. જે સમગ્ર ઘટના અંગે તપાસ કરશે.અને આ આગ કેમ લાગી? તે સમગ્ર ઘટના અંગે સમીક્ષા પણ કરવામાં આવશે.

ICCUની બાજુમાં ઇકો કાર્ડિયોના વોર્ડમાં ભીષણ આગ લાગતા ઇકો મશીન,અને વોર્ડમાં બધી વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.

(1:30 pm IST)