Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

પોરબંદરમાં નીચાણવાળા વિસ્તારમાં અસરગ્રસ્તોની વહારે કોંગ્રેસના આગેવાનો

પોરબંદર : વરસાદને કારણે શહેરના અનેક વિસ્તાર જેવા કે કડિયા પ્લોટ, નર્શનટેકરી, ઘાસગોડાઉન બાજુમા઼ તેમજ ખડપીઠ વિસ્તારમાં વરસાદી પાણી ઘરમાં ઘુસી જતા ઘરવખરી અને રાસનનો પાણીમાં ગરકાવ થતાં ગરીબ તેમજ મધ્યમ લોકોને તેમના ઘર છોડવાનો સમય આવતા આ લોકોની તકલીફની જાણ કોંગ્રેસ આગેવાન રામદેભાઇ મોઢવાડીયા, પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઇ ઓડેદરા, યુથ કોંગ્રેસ પ્રમુખ ધર્મેશભાઇ પરમાર, ગુજરાત એનએસયુઆઇ ઉપપ્રમુખ તીર્થરાજ બાપોદરા, એનએસયુઆઇ પ્રમુખ કિશન રાઠોડને કરતા તાત્કાલીક દોડી ગયા હતાં અને પ્રજાના ખબર અંતર પૂછી અધિકારી સાથે સ્થળ પરથી જ ટેલિફોનિક વાત કરી સહાયની માંગ કરી હતી. ત્યારે અત્યારે લોકોને પેટ ભરવાનું કઇ ના હોય તો તાત્કાલીક લાડવા અને ગાઠીયા બનાવડાવી ઘરે ઘરે અને સ્થળાંતર કરેલ જગ્યાએ જમવાનું પહોંચાડયું હતું. આ સેવાકીય કાર્યમાં વિજયભાઇ મોઢવાડીયા, રાણાભાઇ મોઢવાડીયા, રાહુલ ચુડાસમા, આનંદ નાંઢા, અલ્તાફ કાટેલીયા, તેમજ કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં. કોંગ્રેસના આગેવાનોએ નીચાણવાળા વિસ્તારમાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી તે તસ્વીરો (તસ્વીર-અહેવાલ : પરેશ પારેખ-પોરબંદર)

(1:12 pm IST)