Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૧૫ કેસ નોંધાયા : ૩૮ દર્દી સ્વસ્થ થયા

મોરબી,તા. ૨૬: મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૧૫ કેસો નોંધાયા છે તો આજે વધુ ૩૮ દર્દીઓ સ્વસ્થ થયા છે જયારે આજે એકપણ દર્દીનું મોત થયું નથી.

મોરબી જીલ્લામાં કોરોનાના નવા કેસોમાં મોરબી તાલુકામાં ૧૦ કેસ, વાંકાનેરમાં ૦૪ કેસ અને હળવદમાં ૦૧ કેસ નોંધાયો છે તો આજે ૩૮ દર્દીઓ સ્વસ્થ થયા હતા જેમાં મોરબી તાલુકામાં ૨૯, વાંકાનેરમાં ૦૩, હળવદમાં ૦૧, ટંકારામાં ૦૪ અને માળિયામાં એક દર્દી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.

(11:49 am IST)