Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ધોરાજીમાં મામલતદાર તંત્ર દ્વારા ખાત્રી બાદ પણ વરસાદી પાણીનો નિકાલ ન થતા મહિલાઓએ ચક્કાજામ સાથે વિરોધ પ્રદર્શન

ધોરાજી : તસ્વીરમાં મહિલાઓ વિરોધ પ્રદર્શન કરતી નજરે પડે છે. (તસ્વીર-અહેવાલ : કિશોર રાઠોડ, ધમેન્દ્ર બાબરીયા-ધોરાજી)

ધોરાજી,તા.૨૬ : ધોરાજીમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા હતા આવો જ એક બનાવ આજરોજ ધોરાજીના જેતપુર રોડ લેન વાળી ગલીમાં હનુમાનજીના મંદિર અને પીરની દરગાહની બાજુમાં જે રોડ ઉપર પાણી ભરાતા અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું હતું જેના કારણે આ વિસ્તારની મહિલાઓ હીરપરા વાડી વિસ્તારની મહિલાઓ રોડ ઉપર આવી નગરપાલિકાને ઢંઢોળવા માટે નગરપાલિકા હાઈ હાઈ ના સૂત્રો સાથે ચક્કાજામ કર્યો હતો લગભગ ૪૫ મિનિટ સુધી રોડ ચક્કાજામ કર્યો છે ધોરાજી નગરપાલિકાના કર્મચારી રવજીભાઈ ભાષા તેમજ ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર હુકુમતસિંહ જાડેજા તેમજ પોલીસ તાત્કાલીક દોડી આવતા મામલો થાળે પાડવા બાબતે પોલીસ સક્રિયતાથી મહેનત કરી હતી અને મહિલાઓને સમજાવી મામલો થાળે પાડયો હતો

આ સમયે આ વિસ્તારની મહિલાઓએ જણાવેલ કે નગરપાલિકા તાત્કાલિક કામ નહિ કરે ત્યાં સુધી અમારા વિસ્તારમાંથી નગરપાલિકા પાણી નહીં કાઢે ત્યાં સુધી અમે રસ્તાઓ પરથી નીકળતું નહીં તે પ્રકારના હલ્લાબોલ સાથે નગરપાલિકા હાય હાય ના સુત્રો સાથે ધોરાજી રોડ જેતપુર રોડને ચક્કાજામ કરી દીધો હતો

આ પહેલા આ જ વિસ્તારમાં સામાજિક સંસ્થાના આગેવાનોએ મોટા મોટા ખાડાઓ પર વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીને નવતર વિરોધ કર્યો હતો પરંતુ એ બાબતે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેનો પણ મહિલાઓએ રોષ વ્યકત કર્યો હતો

પોલીસ ઈન્સપેકટર હુકુમતસિંહ જાડેજા એ પોણી કલાક સુધી મહિલાઓને સમજાવીને વિવેકબુદ્ઘિથી ચક્કાજામને હટાવ્યું હતું અને નગરપાલિકાના કર્મચારીઓએ ખાતરી આપી હતી અને કામ ચાલુ કરાવ્યું હતું

ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર હુકુમત સિંહ જાડેજા ટ્રાફિક જમાદાર દેવશીભાઈ બોરીચા મહિલા જમાદાર કિરણબેન સહિતનો પોલીસ સ્ટાફ  પોલીસ બંદોબસ્ત ગોઠવેલ હતો

 ૪૫ મિનિટ થી તમામ વાહન વ્યવહાર બંધ થઇ જતાં એસટી બસ થી માંડીને અનેક વાહનો સ્થગિત થઈ જતા મુશ્કેલીઓ ભોગવવી પડી હતી. જોવાની વાત એ ધોરાજીમાં ડેપ્યુટી કલેકટર મામલતદાર ચીફ ઓફિસર હોવા છતાંય આ ઘટના સ્થળે મહિલાઓની વેદના સાંભળવા માટે કોઈ આવ્યું નથી તે દુઃખની બાબત છે

ધોરાજી ના પીરખાના ચોક પાસે સ્થાનીક રહીશો એ ભૂગભ ગટર તથા વરસાદી પાણી ના નિકાલ મામલે તંત્ર વાહકો ને રજૂઆત કરવા છતા નક્કર કાયવાહી નહી કરાતા લોકો મા રોષ યાપી ગયેલ હતો સ્થાનીક રહીશો એ પીરખાનાકુુંવા ચોક પાસે વાહનો રોકી ને ચકકાજામ કરી ને વિરોધ યકત કરાયો હતો

અગાઉ આ વિસ્તારના રહીશોએ અને દુકાનદારોએ બંધ પાળીને વિરોધ કરી ધોરાજીના મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું આ સમયે મામલતદાર એ ખાતરી આપી હતી પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી નહીં થતાં ફરી આ વિસ્તારના લોકોએ નવતર પ્રયોગ કરીને વિરોધ કર્યો હતો

આ સમયે કાયદો અને વ્યવસ્થા જાળવવા બાબત ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર હુકુમતસિંહ જાડેજા પીએસઆઇ શૈલેષ વસાવા વિગેરે પોલીસે દોડી જઈને મામલો થાળે પાડયો હતો.

(11:47 am IST)