Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ભાવનગરમાં ગણપતિ મુર્તિનું વિસર્જન

ભાવનગર :  જિલ્લાના શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના કર્મવીરો દ્વારા સંસ્થાના કેમ્પસમાં મૂર્તિનું વિસર્જન કરી નવી પરંપરાનો આરંભ કર્યો છે. પ્રતિવર્ષે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના કેમ્પસમાં વિઘ્નહર્તા ગણપતીબાપાનું સ્થાપન કરવામાં આવે છે. એટલું જ નહી સંસ્થાના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ દ્વારા કોળીયાક સમુદ્રમાં મૂર્તિનું વિસર્જન કરવામાં આવતું હતું. પરંતુ આ વર્ષે વિસર્જનપાત્રમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ ટી.સોનાણી, ટ્રેઝરર  પંકજભાઈ ત્રિવેદી, રાષ્ટ્રીય અંધજન મંડળના ટ્રસ્ટી હસમુખભાઈ ધોરડા સહીત સંસ્થાના કર્મવીરો ઉપસ્થિત રહ્યા હતા. મૂર્તિનું સ્થાપન અને વિસર્જન સંસ્થાના ઓફીસ સુપ્રીટેન્ડન્ટ હિતેનભાઈ ભટ્ટના હસ્તે કરવામાં આવ્યું હતું.

(11:45 am IST)