Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

મોડાસાના ગુન્હાનો ૩ વર્ષથી ફરારી લખતરમાં અને હદપારીનો ભંગ કરનાર ચોટીલામાં ઝડપાયા

વઢવાણ તા. ર૬: અરવલ્લી જીલ્લાના મોડાસા રૂરલ પો. સ્ટે.ના પ્રોહી ગુ.ર.નં-પ૩૭પ/ર૦૧૭ પ્રોહી. કલમ-૬પએઇ, ૧૧૬બી, ૯૮(ર) મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઇદ્રીશભાઇ રસુલભાઇ ધંધુકીયા રહે. લખતર મહાકાળી મંદિર સામેને હકીકતવાળી જગ્યાએ છાપો મારતા મજકુર આરોપી ઇદ્રીશભાઇ (ઉ.વ.૪૧) ને પકડી મજકુરની પુછપરછ કરતા પોતે સદર ગુન્હા કામે સને-ર૦૧૭ થી નાસતો ફરતો હોવાની કબુલાત આપતા મજકુરને સી.આર.પી.સી. કલમ-૪૧(૧) આઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે લખત પો.સ્ટે. સોંપી આપેલ છે.

તેમજ એલ.સી.બી. ટીમ દ્વારા ચોટીલા ટાઉનમાં પેટ્રોલીંગ હાથ ધરી હદપારી કેશ નં. ૦૮/ર૦૧૯ તા. ૧૭/૦૩/ર૦ર૦ વાળા હુકમથી બે વર્ષ માટે સુરેન્દ્રનગર તેમજ તેની આજુબાજુ આવેલ જીલ્લાની હદમાંથી હદપાર થયેલ ઇસમ મહેન્દ્રસિંહ ઉર્ફે હકુ ચંદુભા પરમાર ઉ.વ. ૩૦ ધંધોઃ મજુરી રહે. ચોટીલા ઘાંચીવાડ શેરી નં. ૩ વાળો હાલે ચોટીલા, રામચોક ખાતેથી નીકળનાર છે. તેવી છાપો મારી કોર્ડન કરી પકડી પાડી મજકુર ઇસમે હદપારી હુકમનો ભંગ કરેલ હોય જેથી તેના વિરૂધ્ધ જી.પી. એકટ કલમ-૧૪ર મુજબ કાર્યવાહી કરી આગળની કાર્યવાહી અર્થે ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર ડી. એમ. ઢોલરની સીધી સુચના હેઠળ પો.સબ. ઇન્સ. વી. આર. જાડેજા તથા એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા પો.હેડ કોન્સ. નિકુલસિંહ ભુપતસિંહ તથા પો. કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા તથા અજયસિંહ વિજયસિંહ તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા સંજયસિંહ ઘનશ્યામસિંહ તથા નિર્મળસિંહ મંગળસિંહ એ રીતેની ટીમ દ્વારા નાસતો ફરતો આરોપી તથા હદપાર ઇસમને શોધી કાઢેલ છે.

(11:44 am IST)