Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

હળવદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પાણી ભરાયેલ ઘરોના લોકોને ભોજન પૂરૃં પાડી ભરાયેલ પાણીના નિકાલની વ્યવસ્થા કરી

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૨૬: ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડવાથી જનજીવન ખોરવાયું છે અને જાનમાલને નુકસાન થયેલ છે.ઙ્ગ હળવદમાંઙ્ગ બસ સ્ટેન્ડ પાછળ આંબેડકર નગરમાં રહેતા અનુસૂચિત જાતિ બંધુઓના ૮ થી ૧૦ ઘરોમાં ગોઠણ સુધી પાણી ભરાઈ જતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાઙ્ગ જિલ્લા સંઘચાલક ડો.સી. ટી. પટેલ , વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હસમુખભાઈ પરમાર, સ્થાનિક આગેવાન સુનિલભાઈ મકવાણા અને સ્વયંસેવકો દ્વારા ત્યાં રહેતા આશરે ૮૦ જેટલા ભાઈઓ-બહેનો અને બાળકોના ભોજનની વ્યવસ્થા સ્થાનિક મંદિર પરિસરમાં કરવામાં આવી હતી. ભોજન હળવદ નગરના વિવિધ પરિવારોમાંથી એકત્રિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઘરમાં ઘૂસી ગયેલા પાણીના નિકાલ માટે વોટર પંપ લગાવી પાણી કાઢવાની કામગીરી પણ મોડી રાત સુધી કરી હતી.

(11:40 am IST)