Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ગીંગણી-સિદસર રોડ પર વેણુ બ્રીજ તોડી નવો બનાવવા સાડા નવ કરોડ મંજૂર કરતા નીતિનભાઇ પટેલ

જામજોધપુર તા. ર૬ :.. જામજોધપુરના સીદસર નજીક આવેલ પુલ જે ભારે વરસાદને કારણે જર્જરીત થઇ જતા ભયજનક થઇ ગયેલ હોય જે બંધ કરી દેવાયો હતો જેમને કારણે વિસ્તારના લોકોને ઉપલેટા ધોરાજી - રાજકોટ જેવા શહેરોમાં જવા માટે મુશ્કેલી પડતી હોય આ અંગે ધારાસભ્ય ચીરાગભાઇ કાલરીયાએ આ પુલ ચાલુ થાય તે મટે તાત્કાલીત ધોરણે યોગ્ય કરવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પત્ર પાઠવી રજૂઅત કરી આ રોડ જામજોધપુર સહિતની વિસ્તારની જનતા માટે આરોગ્ય અને વેપાર ધંધા ક્ષેત્ર માટે આવવા જવા માટે મહત્વનો હોય ઘટતું કરવા રજૂઆત કરેલ આ રજૂઆતને ધ્યાને લઇ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા જામજોધપુર ગીંગણી-સિદસર રોડ વેણુ બ્રીજ તોડી નવો બનાવવા માટે સાડા નવ કરોડ મંજૂર કરેલ છે.

(11:37 am IST)