Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

વિંછીયા ખાતે આઇટીઆઇના નવા બિલ્ડીંગ માટે નવ કરોડ રૂપિયા મંજૂર

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.૨૬ : વીંછીયા આઈ.ટી.આઈ ના નવા બિલ્ડિંગ માટે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના પ્રયાસોથી રૂપિયા નવ કરોડની રકમ મંજુર થતા આ વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઇ છે.

નવા બનેલા વિછીયા તાલુકામાં ભાડાના બિલ્ડિંગમાં અત્યારે આઈટીઆઈ ચાલે છે. જયાં વિદ્યાર્થીઓને ભાડાનું મકાન હોવાથી પૂરતા પ્રમાણમાં અદ્યતન સુવિધાઓ મળી શકતી નથી. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા વીંછીયા આઈ.ટી.આઈ ના નવા બિલ્ડિંગ માટે રૂપિયા નવ કરોડ એક લાખની રકમ મંજુર કરતા આગામી સમયમાં ટ્રેડ રૂમ, વર્કશોપ, સ્ટાફ રૂમ,કોમ્પ્યુટર રૂમ, કલાસ રૂમ, પાર્કિંગ સહિતની અદ્યતન સુવિધા ધરાવતું નવુ બિલ્ડીંગ બનાવવામાં આવશે. નવા બિલ્ડિંગ માટે મોટી રકમ મંજુર થતા આગામી દિવસોમાં નવા બિલ્ડિંગ માટે પ્લાન અંદાજો બનાવવા ઉપરાંત ટેકનિકલ વહીવટી સહિતની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે પાણી પુરવઠા, પશુપાલન મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ વહીવટી તંત્રને સૂચના આપી છે.

(11:31 am IST)