Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

નયારા એનર્જી દ્વારા દેવભૂમિ દ્વારકા -જામનગર જીલ્લાના ૫૦૦૦થી વધુ ખેડૂતોના સમુદાયનું આબોહવા કુશળ ખેતી અને જળ સંસાધન વ્યવસ્થાપન વડે સશકિતકરણ

સુસંકલિત જળવ્યવસ્થાપન અને આબોહવા કુશળ ખેતી વડે ખેડૂતોની આવક વધારવાનો ઉદ્દેશ : દેવભૂમિ દ્વારકાનાં ૧૫ ગામની ૧૧,૦૦૦ હેકટર જમીનને જળ સમધારણ બનાવી જમીન સુધારણાનો પ્રયાસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૬: નવા યુગની આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જી ગુજરાતમાં વાડીનાર ખાતે આવેલી તેની રિફાઈનરીની આસપાસ વસતા લોકોના સાતત્યપૂર્ણ વિકાસ અને વૃધ્ધિ માટે કટીબધ્ધ છે. કંપનીએ તેના આજીવિકા પ્રોજેકટ ગ્રામ સમૃધ્ધિ મારફતે દેવભૂમિ દ્વારકા અને જામનગર જીલ્લાના ૧૫ ગામો સાથે જોડાયેલી છે,

જેનો ઉદ્દેશ આગામી થોડા વર્ષોમાં આ વિસ્તારની ૧૧,૦૦૦ હેકટર જમીનને વોટર ન્યુટ્રલ (જળ સમધારણ) બનાવવાનો છે. ટેકનોલોજીકલ પ્રયાસોનો ઉપયોગ કરવાની સાથે આ પ્રોજેકટમાં આબોહવા કુશળ ખેતી પ્રણાલીઓનો તેમજ  પશુપાલન જેવી સંલગ્ન પ્રવૃત્ત્િ।ઓનો ઉપયોગ કરીને ખેડૂતોની આવક વધારવામાં સફળતા મળી છે.  આ પ્રવૃત્ત્િ।ઓમાં ખેડૂતો વ્યાપક પ્રમાણમાં જમીન ઉપરનું પાણી સંગ્રહીને,  જમીનમાંના પાણીને રિચાર્જ કરીને, માઈક્રો અને ડ્રીપ સિંચાઈ પધ્ધતીઓનો વ્યાપક ઉપયોગ કરીને, ભૂકંપીય અભ્યાસ તથા ઓર્ગેનિક ખેતી, બાગાયત પ્રવૃત્ત્િ।, પાક બદલતા રહેવાની પધ્ધતી વડે તથા જમીનમાં પાણી જળવાઈ રહે તેવા પ્રયાસોનો સમાવેશ થાય છે.

આ પ્રોજેકટથી આ વિસ્તારના ખેડૂતોને પાણીના જળ સંરક્ષણ અને રિચાર્જના માધ્યમથી વધારાના આશરે ૧૧.૪૪ એમસીએમ જેટલા પાણીના સંગ્રહનો લાભ મળ્યો છે. આ ઉપરાંત ૪૮૪ જેટલાં વોટર હાર્વેસ્ટીંગનાં માળખાંનુ નવિનીકરણ કરાયું છે. ૪૦૦ હેકટર જમીનમાં પાણીના ઉપયોગની કાર્યક્ષમતા વધારીને સિંચાઈ હેઠળના વિસ્તારમાં વધારો કરી ખેત ઉત્પાદનનો ખર્ચ ઘટાડવાની સાથે ખેતીખર્ચમાં  દ્યટાડો થયો છે. દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા તાલુકાના મોટા મોઢા ગામના સીમાંત ખેડૂત અજુબેન ગાગીયા જણાવે છે કે તેમના ૧ હેકટરના ખેતરમાં માઈક્રો સિંચાઈ વ્યવસ્થા બેસાડ્યા પછી એકર દીઠ ૨૧૦૦ કી.ગ્રામ મગફળી મળી છે. તેમને દ્યટતા જતા મજૂરી ખર્ચ અને નફામાં વધારાને કારણે એકર દીઠ રૂ. ૩૬,૦૦૦ના ફાયદો થયો છે. અજુબેન કહે છે કે વાવણી પછીના ૪૫ દિવસમાં પાક કરમાઈ જવાનો રોગ દૂર થયો છે અને તેમનો પાક ફૂલ બેસવા સમયે તથા મગફળી લેવા સમયે તંદુરસ્ત રહયો છે. વાવણી પછી મગફળીની ખેતીમાં કાળજી લેવાની પધ્ધતી પણ સરળ બની છે.

આ ઉપરાંત નયારા એનર્જી મહિલાઓ (કૃષિસખી)ને  બીયારણની સારવાર, વાવણી પધ્ધતિઓ, જીવાત નિયંત્રણ, ખેતીનાં સાધનોનો કરકસરયુકત ઉપયોગ તથા અન્ય ખેત પધ્ધતિ અંગે તાલિમ આપી રહી છે. આ પ્રયાસો મારફતે નયારા એનર્જી સ્થાનિક લોકોને આત્મનિર્ભર ખેડૂત સમુદાયના નિર્માણમાં સહયોગ આપી રહી છે.

વસતિના મોટા ભાગ માટે ખેતી અને પશુપાલન આજીવિકાનો મુખ્ય સ્ત્રોત રહ્યાં છે. નયારા એનર્જીએ એક મજબૂત પશુપાલન કાર્યક્રમ હાથ ધર્યો છે, જે પશુઆના આરોગ્યથી માંડીને પોષણ સુધીની તમામ પ્રકારની પશુપાલન વ્યવસ્થાપન સેવા પૂરી પાડે છે, જેમાં દૂધ દોહવાથી માંડીને ઉછેર અને ઓલાદ સુધારણા કાર્યક્રમનો સમાવેશ થાય છે.  આ કારણે ૧૨૫૦ માદા પશુ પ્રાપ્ત થવા ઉપરાંત દૂધની ઉપજમાં ૧૦ ટકાનો વધારો થયો છે. કંપનીએ પશુ આરોગ્ય શિબીરો, મોબાઈલ વેટરનરી કિલનિક, ડીવોર્મીંગ અને વેકસીનેશન ઉપરાંત સમૂહમા ઘાસચારો તૈયાર કરવાના તથા ખનીજ યુકત પૂરક આહાર પૂરો પાડવાના આયોજનો કર્યાં  છે.  નયારા એનર્જીએ સ્વ સહાય જૂથોની રચના કરી મહિલાઓની એક કેડર (પશુસખી) ઉભી કરી છે કે જે નિયમિત તાલિમ કાર્યક્રમો યોજીને તેને આજીવિકા વિકાસ પ્રવૃત્ત્િ। સાથે જોડે છે.

કંપનીના આ પ્રયાસ અંગે વાત કરતાં ભરાણા ગામના ખેડૂત લખુભાઈ  ચાવડા જણાવે છે કે 'ઘણા વર્ષથી અમે દરીયાનું પાણી જમીનમાં ઘુસી જવાને કારણે  પાકની ગુણવત્ત્।ા બગડવાની તથા ખેતરોને માઠી અસર થવાની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા. છેલ્લા ૩ વર્ષથી મારી ખેતીની જમીનમાં નયારા એનર્જીએ બતાવેલા ઉપાયો હાથ ધરતાં જમીનની ગુણવત્ત્।ામાં ભારે સુધારો થયો છે અને મારા ચોખ્ખા નફામાં હેકટર દીઠ અંદાજે રૂ. ૨૦,૦૦૦થી ૩૦,૦૦૦નો ફાયદો થયો છે. જેનો ઉપયોગ અમે જમીનને સમતળ કરવામાં તથા મારી ખેતીના યાંત્રીકરણ માટે કર્યો છે. નયારા એનર્જીએ ખેડૂત સમુદાયની  સ્થિતિ સુધારવા માટે જે પ્રયાસો કર્યા છે તે બદલ હું તેમનો આભારી છું.'

કંપનીએ જળ સંબંધી જે પ્રયાસો કર્યા છે તે અંગે વાત કરતાં જાખર ગામના ખેડૂત અમરસિંહ જણાવે છે કે 'નયારા એનર્જીના વોટરશેડ મેનેજમેન્ટના સુસંકલિત પ્રયાસોથી વાડીનાર વિસ્તાર અને આસપાસના વિસ્તારના હજારો લોકોને  નોંધપાત્ર ફાયદો  થયો છે  ઉત્પાદકતા વધતા અને પાણી ખાત્રીપૂર્વક મળી રહેતાં મારી ખેતીની જમીનની કીંમત વીદ્યા દીઠ રૂ. ૪ લાખથી વધીને ૮ લાખ થઈ છે. થોડા વર્ષ પહેલાં આ સ્થિતિ અંગે વિચારી પણ શકાય નહી તેવી હાલત હતી. કંપની કુશળ ખેતી  અને જળવ્યવસ્થાપન અંગે વિવિધ તાલિમ કાર્યક્રમોનુ આયોજન કરે છે જે અમારા માટે ખૂબજ ઉપયોગી બની રહે છે.'

(11:30 am IST)