Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

કોટડાસાંગાણીના શીશકમાં ૯૫ વર્ષના રામુબેન પટોડીયાનોે સળગી જઇ આપઘાત

માનસિક બિમારીથી કંટાળીને પગલુઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૬: કોટડા સાંગાણીના શીશક ગામે રહેતાં ૯૫ વર્ષના રામુબેન પ્રેમજીભાઇ પટોડીયાએ સળગીને આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

રામુબેને ગઇકાલે બપોર બાદ ઘરે શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમણે રાત્રે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ કોટડા સાંગાણી પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર રામુબેનને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. માનસિક બિમારીથી કંટાળી જઇ આ પગલુ ભરી લીધાનું પરિવારજનોએ પ્રાથમિક પુછતાછમાં જણાવ્યું હતું.

(10:34 am IST)