Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

ઘેલા સોમનાથના જંગલમાં એવું શું બન્‍યું?

 (હુસામુદ્દીન કયાીછ દ્વારા)જસદણ,તા ૨૬: જસદણ પંથકના વિખ્‍યાત તીર્થધાકમ ઘેલાસોમનાથ ખાતે આંતકીઓ ઘુસી આવ્‍યાની આફવા પગલે બે તાલુકાના ચાર પોલીસ મથકના અધિકારીઓ અને કર્મચારીઓએ રાતભર દોડધામ કરી હતી પરંતુ માત્ર અફવા સાબિત થઇ હતી . એવી અફવા ઉડી હતી કે ઘેલા સોમનાથ નજીક આવેલા જંગલ ઉમટવીટીમાં કોઇ શંકાસ્‍પદ વ્‍યકિતએ ઘેલા સોમનાથ મંદિરનું સરનામુ પુછયુ? આવી વાતો ધડીમાં વાયુવેગે ફેલાતા સાંજથી જ જસદણ, વિછીયા, આટકોટ ભાડલા જેવા આ ચારેય પોલીસ સ્‍ટેશનની પોલીસ સર્તક બની ઠેકઠેકાણે પુછપરછ કરી પણ રાતથી આજે રવીવાર બપોરે સુધી કોઇ કડી ન મળી હતીે.જસદણ અને વિછીંયા પોલીસ મથકનો સંપર્ક કરતા તેમણે આ બાબતને અફવા ગણાવી હતી.

(3:38 pm IST)