Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

જામનગર : ખીજડા મંદિરના પૂ. કૃષ્‍ણ મણીજી મહારાજ અને ધર્મેન્‍દ્રસિંહ જાડેજાની ઉપસ્‍થિતિમાં શોભાયાત્રા નિકળી

 

જામનગર : જામનગરની જાણીતી ધાર્મિક સંસ્થા ૫-નવતનપુરીધામ ખીજડા મંદિર દ્વારા દર વર્ષની જેમ શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણીના ભાગરૂપે પ.પૂ.કૃષ્ણમણીજી મહારાજના માર્ગદર્શન હેઠળ અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં ખીજડા મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થયેલ હતું. જે નગરના વિવિધ માર્ગોથી પસાર થઈ હતી.

                  આ શોભાયાત્રામાં મેયરશ્રી હસમુખભાઈ જેઠવા, શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઈ હિંડોચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી સુભાષભાઈ જોષી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ડો.પી.બી.વસોયા, સંસ્થાના મેને.ટ્રસ્ટીશ્રી નવીનભાઈ પરીખ, મનસુખભાઇ, ડો.જોગીનભાઈ જોષી, કોર્પોરેટરશ્રી મનીષભાઈ કનખરા, કેતનભાઇ નાખવા, રાજપૂત સમાજના જો.સેક્રેટરીશ્રી પ્રવિણસિંહ કે.જાડેજા, શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષશ્રી ચંદ્રવદનભાઈ ત્રિવેદી, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખશ્રી ભરતભાઇ ફલિયા તથા તેમની ટીમ, આર.એસ.એસ.ના પાઠકજી તેમજ આણંદાબાવા સંસ્થા, કબીર આશ્રમ, ગાયત્રી શક્તિપીઠ, બ્રહ્માકુમારી, ભાટીયા યુવક મંડળ સહિતની વિવિધ જ્ઞાતિ મંડળના આગેવાનો તેમજ પ્રણામી સંપ્રદાય સુંદરસાથ તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો અને શહેરીજનો જોડાયા હતા.

(2:06 pm IST)