Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

એક પ્રામાણિક મુસાફરે જુનાગઢ રેલ્વે સ્ટેશન પર બીજા રેલ્વે પેસેન્જરનું ખોવાયેલું પર્સ પરત આપ્યું : મુખ્ય ટિકિટ કલેક્ટર આય. વી. વાઘેલાએ પર્સ તેના મૂળ માલિકને સોપ્યું

જુનાગઢ : જૂનાગઢમાં એક રેલ્વે પેસેન્જરની પ્રામાણિકતાને કારણે તેણે બીજા મુસાફરનો ખોવાયેલુ પર્સ પાછુ આપ્યું. સોમનાથ-રાજકોટ ટ્રેન નંબર ૫૯૪૨૨ નો એક મુસાફર શનિવારે સવારે, જૂનાગઢ રેલ્વે સ્ટેશનની મુખ્ય ટિકિટ કલેક્ટર કચેરીએ પર્સ લઇને આવ્યો હતો અને તે પર્સ મુખ્ય ટિકિટ કલેક્ટર આય. વી. વાઘેલાને સોપ્યું હતું. આ પર્સ બીજા મુસાફરનું હતું. 

વાઘેલાએ તરત જાહેરાત કરવાનું શરૂ કર્યું. જ્યારે ટ્રેન રવાના થયા પછી કોઈ ન આવ્યું ત્યારે તેઓએ રેલ્વે પ્રોટેક્શન ફોર્સને ફોન કર્યો અને પર્સ ખોલીને તેમાં મુસાફરનો મોબાઇલ નંબર મળી આવ્યો. એક વ્યક્તિ મોબાઈલ પર સ્ટેશન પાસે પહોંચ્યો અને કહ્યું કે પર્સ તેની માતાનું હતું, જે ટ્રેનમાં સવાર હતી. પર્સમાં ટ્રેનની ટિકિટ હતી અને રૂપિયા 1425. કાર્યવાહી બાદ પર્સ મુસાફરને સોંપવામાં આવ્યું હતું.

(12:23 am IST)