Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

મોરબી જીલ્લામાં કેસ નીલ, મોરબી જીલ્લો આજે પણ કોરોનામુક્ત

જીલ્લાના પાંચેય તાલુકામાં આજે નવો એકપણ કેસ નોંધાયો નથી: એક્ટીવ કેસનો આંક શૂન્ય

class="ii gt" id=":lia">
મોરબી જીલ્લો રવિવારે કોરોનામુક્ત બન્યા બાદ આજે પણ નવો એકેય કેસ નોંધાયો નથી અને મોરબી જીલ્લો આજે પણ કોરોના મુક્ત જોવા મળી રહ્યો છે
મોરબી જીલ્લામાં જુલાઈ માસથી કોરોનામાં રાહત જોવા મળી રહી હતી અને કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો હતો જેમાં ગઈકાલે રવિવારે કોરોનાગ્રસ્ત છેલ્લા દર્દી સ્વસ્થ થતા મોરબી જીલ્લો કોરોનામુક્ત બન્યો હતો તો સોમવારે મોરબી જીલ્લાના પાંચેય તાલુકામાં રાહત જોવા મળી છે આજે નવો એકપણ કેસ નોંધાયો નથી અને મોરબી જીલ્લો સોમવારે પણ કોરોના મુક્ત રહ્યો છે અને એક્ટીવ કેસનો આંક શૂન્ય જોવા મળે છે
મોરબી જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૬૫૦૦ દર્દીઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂકયા છે જેમાં ૬૧૫૯ દર્દીઓ સ્વસ્થ થયા છે તો સરકારી ચોપડે માત્ર ૮૭ દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે
 
(9:32 pm IST)