Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

જુનાગઢના ડુંગરપુરની ૩ાા વર્ષની સુસ્મિતાનું તાવ આવ્યા બાદ મોત

બાળકીએ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૪: જુનાગઢના ડુંગરપુરમાં રહેતાં રાજેશભાઇ મકવાણા (દેવીપૂજક)ની પુત્રી સુસ્મિતા (ઉ.વ.૩ાા)ને તાવને કારણે તબિયત બગડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ કે. ટી. ચિલ્ડ્રન વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. રાજેશ મકવાણા મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં ત્રણ દિકરી પૈકી સુસ્મિતા વચેટ હતી. બે દિવસથી તાવ આવ્યો હોઇ એ પછી તબિયત વધુ બગડતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ ખસેડાઇ હતી. પરંતુ જીવ બચી શકયો નહોતો.

(11:40 am IST)