Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ખંભાના ભાવરડીના ખેડૂતની વાડીમાં ધોળાદિવસે આઠ સિંહો ઘુસ્યા :બળદનો શિકાર કરી મારણ કર્યું

વાડીમાં બાંધેલ બે બળદ પર સિંહોનો હુમલો : એક બાલ્ડ નાશી ગયો

 

અમરેલી જિલ્લાના ખાંભાના ભાવરડી ગામના ખેડૂત ગભરુભાઈ મોભની વાડીમાં કપાસના પાકમાં આઠ સિંહો આવી ચડ્યા હતા અને ભાગ્યે દિવસે શિકાર કરતા સિંહો વાડીમાં બાંધેલ બે બળદ પર હુમલો કર્યો હતો અને જેમાં એક બળદ નાસી છૂટ્યો હતો અને એક બળદ નો સિંહોએ સ્થળ પર શિકાર કરી મારણ કર્યું હતું

  ખેડૂત ગભરુભાઈ દ્વારા વન વિભાગને જાણ કરતા સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો પરંતુ ખાંભા તેમજ આસપાસના ખેડૂતો અને માલધારી દ્વારા પોતાના કિંમતી પશુ જેવા કે ગાય , ભેંસ ને સિંહો દ્વારા મારી નાખવા છતાં સિંહોને કોઈ જાતની પરેશાની કે ખલેલ પહોંચાડવામાં આવતો નથી અને હમેશા ગીરના માલધારી અને ખેડૂતો સિંહોની કાળજી રાખતા જોવા મળે છે.

(11:41 pm IST)