Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

અટલજીની અસ્થિ વિસર્જન યાત્રા ત્રિવેણી સંગમ જવા રવાના

રાજ્યના અનેક મંત્રીઓ,સાંસદ, પૂર્વ ધારાસભ્યો અને સેંકડો કાર્યકરો જોડાયા

દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલજીના અસ્થી વિસર્જન માટેની યાત્રા સોમનાથ યુનિવર્સિટીથી ત્રિવેણી સંગમ જવા માટે રવાના થઇ હતી. યાત્રાને ભૂદેવો દ્વારા શાસ્ત્રોકત વિધી પૂર્ણ કર્યા બાદ રવાના કરાઇ હતી. આ યાત્રા જયાંથી પણ પસાર થઇ હતી ત્યાં મોટી સંખ્યામા લોકો તેના દર્શન કરવા ઉમટયા હતા.

 અસ્થી યાત્રામા રાજય મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુ, પ્રવકતા ભરત પંડયા, સાસંદ રાજેશભાઈ ચુડાસમા,રાજયસભાના સાંસદ ચુનીભાઈ ગોહેલ તેમજ પૂર્વ ધારાસભ્યો અને સેંકડો કાર્યકરો જોડાયા હતા.

(3:51 pm IST)