Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

વિજયભાઇ રૂપાણીના હસ્તે કાલે ગીર સોમનાથ જીલ્લામાં વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

રાજકોટ તા૨૫: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલ શનિવાર તા. ૨૬ જૂનના રોજ ગીર સોમનાથની મુલાકાતે જશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આવતીકાલે સાંજે  ૫.૪૫ કલાકે વેરાવળ તાલુકાના સેમરવાવ ગામે ફિલ્ટર પ્લાન્ટનું તેમજ વેરાવળ ખાતે નાયબ પોલીસ અધિકક્ષકની નવીન કચેરીનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીના હસ્તે વેરાવળ- પાટણ સંયુક્ત નગરપાલિકાના જુદા જુદા  વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રેઇન તથા ફૂટપાથનું ખાતમૂર્હુત પણ કરવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તા.  ૨૭ જૂન રવિવારના રોજ સવારે ભગવાન શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ગુજરાતની સુખાકારી માટે પ્રાર્થના કરશે.

(1:22 pm IST)