Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

રવિવારે ધોરાજીમાં લેઉવા પટેલ જાગૃતિ મંડળ દ્વારા સમુહ લગ્નોત્સવ

ધોરાજી,  તા, ૨૫: ધોરાજી લેઉવા પટેલ જાગૃતિ મંડળ દ્વારા તારીખ ૨૮ ને રવિવાર ના રોજ લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ જેતપુર રોડ ખાતે ૨૧ મો સમૂહ લગ્ન મહોત્સવ ભવ્ય રીતે યોજાશે જેમાં ૨૪ નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડશે.

આ પ્રસંગે ધોરાજી લેઉવા પટેલ જાગૃતિ મંડળના પ્રમુખ રામજીભાઈ માથુકિયા મંત્રી પોપટભાઈ વૈષ્ણવ ખજાનચી નરસિંહભાઇ પાઘડાર વિઠ્ઠલભાઈ બાબરીયા ધીરુભાઈ કોયાણી ખીમજીભાઈ પાદરિયા ડી.કે અંટાળા મનસુખભાઈ વદ્યાસિયા રસિકભાઈ વૈષ્ણવ જયંતીભાઈ વદ્યાસિયા( j p) ધીરુભાઈ વદ્યાસિયા (dm) અરજણભાઈ જાગાણી રાજુભાઈ હિરપરા વિગેરે લેઉવા પટેલ જાગૃતિ મંડળ ના સભ્યશ્રીઓ તેમજ સમાજના આગેવાનો ટ્રસ્ટીશ્રી ઓ વિગેરે ૨૧માં સમૂહ લગ્ન મહોત્સવ સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

૨૧ માં સમૂહ લગ્ન મહોત્સવમાં કુલ ૨૪ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે જેમાં તારીખ ૨૮ને રવિવારના રોજ બપોરે ત્રણ કલાકે ચોવીસ જાનો ધોરાજી આવશે જેનું સમાજ દ્વારા ભવ્ય સામૈયા કરવામાં આવશે બાદ રાત્રીના ૮ કલાકે હસ્ત મેળાપ યોજાશે અને સાંજના ૬ થી ૮ વાગ્યા સુધી ભોજન સમારંભ યોજાશે બાદ દાતાશ્રીઓનું તેમજ મહેમાનોનું સ્વાગત કરવામાં આવશે રાત્રિના ૧૧ કલાકે જાનની વિદાય આપવામાં આવશે.

(2:42 pm IST)