Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

જામજોધપુરમાં ધોમધખતા તાપમાં વિજ ધાંધીયાથી લોકો ત્રાહીમામ

જામજોધપુર, તા.૨પઃ વિસ્તારમાં ટાઉન ૧ માં આવેલ સ્ટેશનપ્લોટ, ઉમીયા નગર, ક્રિષ્ના પાર્ક, તીરૂપતી સોસાયટી વિસ્તારમાં અઠવાડીયામાં ૩ થી ૪ વાર સવારે ૯ થી ત્રણ ચાર કલાક લાઇટ કાપી નાખે છે.

આ અંગે રૂબરૂ રહેવાસીઓ દ્વારા રજુઆત કરતા અધિકારી દ્વારા એવુ જણાવેલ કે ટાઉન ૧ એ ડેવલોપીંગ વારો વિસ્તાર હોય જેથી લાઇટ તો અવાર નવાર જશે જ એવુ અધિકારીએ જણાવેલ અને ટાઉન ૨ માં આ અંગે પુછતા ત્યા લાઇટ રેગ્યુલર આપવામાં આવશે. તો આવી ભેદભાવ વારી નીતી પી.જી.વી.સી.એલ.કચેરી કેમ લેવી એ પ્રશ્ન ઉઠવા પામ્યો છે.

(12:02 pm IST)