Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

રાજેશ ચુડાસમા નહિ તો બીજુ કોઈ નહિ, ...તો પાર્ટીએ સીટ ગુમાવવી પડશેઃ બેનરો લાગ્યા

તસ્વીરમાં હાઈવે ઉપર લાગેલા બેનરો નજરે પડે છે (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

જૂનાગઢ, તા. ૨૫ :. લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે, ત્યારે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભાજપ તરફથી રાજેશ ચુડાસમાને રીપીટ કરવાની માંગ સાથે બેનરો લાગ્યા છે.

ગડુ શેરબાગ, વેરાવળ, ચોરવાડ, માળીયાહાટીના સહિતને નેશનલ હાઈવે ઉપર બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં લખ્યુ છે કે, જૂનાગઢ-ગીરસોમનાથ - ૧૩ લોકસભામાં રાજેશ ચુડાસમા નહિ તો બીજુ કોઈ નહિ, જો રાજેશ ચુડાસમા નહિ તો પાર્ટીએ સીટ ગુમાવવી પડશે.

આવા બેનરો લાગતા રાજકીય ચર્ચાએ જોર પકડયુ છે. ભાજપ દ્વારા આ બેઠક માટે હજુ કોઈ ઉમેદવારની જાહેર કરવામાં આવી નથી.

જો કે દિનુભાઈ સોલંકીના સમર્થકો પણ મેદાનમાં આવ્યાનું ચર્ચાય રહ્યુ છે. ટીકીટને લઈને બન્ને દિગ્ગજોને સમર્થકો સામસામે આવ્યાની ચર્ચાએ જોર પકડયું છે.(૨-૧૮)

(12:27 pm IST)