Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

પાલીતાણાના નાની રાજસ્થળી ગામે બે પરિવાર વચ્ચે બોલાચાલી બાદ ધીંગાણું :લાભુભાઈ બારૈયાની હત્યા

રૂરલ પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપીને પકડવી પાડવા માટે વધું કાર્યવાહી હાથ ધરી

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામે હત્યાનો બનાવ બન્યો છે.  બે પરિવાર વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના હત્યામાં પરિણમી હતી.  લાભુભાઈ નરસિંહભાઈ બારૈયા નામના વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. 

મૃતક વ્યક્તિને પી.એમ અર્થે પાલીતાણા માનસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.  હત્યારના બનાવને લઈ રૂરલ પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપીને પકડવી પાડવા માટે વધું કાર્યવાહી હાથ ધરી છે

(11:58 pm IST)