Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

ઉનામાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો

ગિરનારી ફાઇનાન્સમાંથી 13 લાખની લોન લીધા બાદ 33 લાખ આપ્યા છતા આપતા હતા ધમક

ઉનામાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. અંજાર ગામના વતની યોગેશ જણકાટે ઉનાના ગિરનારી ફાઇનાન્સમાંથી 13 લાખની લોન 2020 માં લીધી હતી અને 2.5 વર્ષ માં 33 લાખ ચૂકવ્યા બાદ પણ ફાઇનાન્સ પેઢીએ સિક્યુરિટીમાં રાખેલ ચેકમાં 9 લાખ ભરીને ચેક રિટર્નની ફરિયાદ કરી અને વારંવાર મારી નાખવાની ધમકીથી કંટાળીને યુવકે ઝેરી દવા પી લીધી હતી. મળતી માહિતી પ્રમાણે હાલ યુવક આઇસીયુમાં સારવાર હેઠળ છે. નાના શહેરોમાં ઉચા વ્યાજે લીધેલા નાણાંના ડબલ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરો લોકોને ત્રાસ આપી રહ્યા છે.

(9:18 pm IST)