Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

જામનગરના જયેશ પટેલ અને ટોળીને ઓકાત દેખાડવી પડશે : જીતેન્‍દ્ર ગોરીયા

મારી જમીન પચાવી પાડી અને હું કાંઇ બોલી ન શકુ તે માટે બીજા કેસમાં મને ફસાવવાના પ્રયાસો

ᅠજામનગરમાં જીતેન્‍દ્ર ગોરીયાએ પ્રેસ કોન્‍ફરન્‍સ યોજી જયેશ પટેલ અને તેની ટોળકી સામે ગંભીર આક્ષેપ કરી આગામી દિવસોમાં મોટા ખુલાસા કરશે તેવી પુરાવા સાથે વાત કરશે તેમ જાહેર કરેલ. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૫ :  એક પત્રકાર પરિષદમાં કુખ્‍યાત જયેશ પટેલ સામે જામનગરના જીતેન્‍દ્ર ગોરીયાએ આકરા પ્રહારો કર્યા છે. જયેશ પટેલે મારી જમીન પચાવી પાડેલ અને તેના વિરૂધ્‍ધ હું કાંઇ ના બોલી શકુ અને તે માટે મને ખોટી રીતે બીજા કેશમાં મને ફસાવવા ને દબાવી રાખવા પ્રયાસો થાય છે.

તેમણે કહેલ કે, મારૂં એવુ માનવુ હતુ કે બનેત્‍યાં સુધી મારે આ ટોળકીના મોઢે નથી લાગવુ પણ જયારે પાણી સરની ઉપરથી જાય ત્‍યારે કહેવુ પડે હવે એ લોકોને એમની અસલ ઓકાત બતાવવાનો યોગ્‍ય સમય આવી ગયો છે. તેઓ કહે છે કે, હવે બેશરમી સામે માણસાઇ ભુલી નીડરતાથી લડત કરવી જરૂરી છે અને હવેથી આ લડતમાં હું આ લોકોની સામે છું અને જામનગરની જનતા અને આહીર સમાજ તથા અન્‍ય સમાજના લોકોને નીવેદન કરૂં છુ કે, જયેશ તથા તેના સાથીદારોની ખોટી વાતો અને સોની કજીયાના નાટકમાં વિશ્વાસ નહી કરતા નહીતો પહેલા ભાઇબંધી કરાવી પછી કોઈના હકકની જમીન મીલકત, રૂપિયા ખોઇ બેસશો અને આ રીતે કોઇની જોડે પણ થયેલ હોય તો એમને પણ કહુ છુ કે હીમ્‍મત કરીને પોલીસ ફરીયાદ કરો અને હું પણ પોલીસ ફરીયાદ કરાવુ છું, મારી જમીન ફલેટ, દુકાન પચાવી પાડેલ છે.

આરાધના ધામમાં ફાયરીંગ પ્રકરણમાં મારે કોઇપણ જાતનુ કઇ કનેકશન નથી મારી ખોટી રીતે સંડોવણી બતાવવામાં આવેલ છે. જેમા ૨ લોકોના માત્ર મૌખિક નીવેદનોના આધારે મને ફસાવવમાં આવેલ છે. જયારે જામનગરની સામાન્‍ય ઘરની એક દીકરી નીશા એકલી લંડન સુધી પહોચી અને સામે વટથી બેસીને તમાચો મારી અનેસ્ત્રી અપમાનનો જવાબ આપી શકે છે અને તેની બીકે રાતો રાત બેલ માર્શલ જેલમાથી વોમ્‍સ વોર્ડ જેલ બદલી નાખે છે તો આપણે શું કામ આવા લુખ્‍ખાઓની સામે ન લડવુ જોઇએ. જામનગરના ધારાશાષાી કીરીટભાઇ જોષીને હું ધન્‍યવાદ કરૂં છુ કે એ વ્‍યકિતએ આવા તત્‍વોને જાહેરમાં સબક શીખવ્‍યો અને જાહેરમાં ચાર પગે કરી બતાવ્‍યો.

કિરીટ જોષીના મર્ડર કેસમાં મહત્‍વની કડીઓ અને મુદાઓ તથા તપાસ અપવાદ રૂપે બહાર નથી આવેલ તેની પાછળનું કારણ શુ? બીટ કોઇનના પ્રકરણમાં હું આગામી પ્રેસ કોન્‍ફરન્‍સ માં ખુલાશા કરવાની તૈયારીમાં છુ પુરાવા સાથે. હુ થોડાક જ દીવસોમાં બીજી પ્રેસ કોન્‍ફરન્‍સ કરીને જયેશ અને તેના સાગરીતો લેવડ દેવડ જમીનના સોદા કયાંથી કેવી રીતે પેમેન્‍ટ આવેલ, કોના હાથમાં પેમેન્‍ટ આવેલ એ પેમેન્‍ટ કયા માણસોને દબાવીને કઢાવેલ હોય તેના સબુત સાથે સરકારશ્રીને, પોલીસને, ઇડી, ઇન્‍કમટેકસ, અને મીડીયાને શોપીસ. જો મારૂ મર્ડર થઇ જાયતો આના જીમ્‍મેદારોના નામો બધા પુરાવા અને પ્રુફ સહિત મેં પેન ડ્રાઇવમાં રાખેલ છે. તે મારા દિકરા પાસે અને અંગત મિત્ર જે તે વખતે રજુ કરી દેશે. તેમ અંતમાં જીતેન્‍દ્ર ગોરીયાએ જણાવ્‍યું છે.(

(12:59 pm IST)