Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

પોરબંદરના બિરાજ કોટેચાની જેસીઆઇ ઇન્‍ડિયા ફાયનાન્‍સ કમિટીમાં નિમણુંક

પોરબંદર,તા. ૨૫: જેસીઆઇના પૂર્વ પ્રમુખ બિરાજ કોટેચાની જેસીઆઇ ઇન્‍ડિયાની ફાઇનાન્‍સ કમિટીના સભ્‍ય તરીકે પસંદગી કરવામાં આવી છે.

જેસીઆઇ ઇન્‍ડિયાની નેશનલ કક્ષાની ખૂબ જ મહત્‍વની સમિતિ એટલે ફાઇનાન્‍સ કમિટી અને આ કમિટીમાં સમગ્ર દેશમાંથી માત્ર બે મેમ્‍બર્સ પસંદ કરવાના હતા. તેમાં જેસીઆઇ પોરબંદરના સભ્‍ય બિરાજ કોટેચાની પસંદગી થતા જેસીઆઇ પોરબંદરનું ગૌરવ વધ્‍યું છે.

જેસીઆઇના બિરાજ કોટેચાએ જેસીઆઇના પ્રમુખ તરીકે ઉપરાંત ઝોન સેક્રેટરી, ઝોન ઉપપ્રમુખ અને ઝોન પ્રમુખ તરીકે પણ સફળતાપૂર્વક નેતૃત્‍વ કરેલુ છે ત્‍યારે હવે નેશનલ કક્ષાએ તેમના ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટના બહોળા અનુભવનો જેસીઆઇ ઇન્‍ડિયાને પણ લાભ મળશે.

(12:55 pm IST)