Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

જુનાગઢ શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ જ્ઞાતિના હોદ્દેદારોની વરણીઃ પ્રમુખપદે શૈલેષભાઈ દવે

(વિનુ જોશી દ્વારા), જુનાગઢ, તા.૨૫: શ્રી શ્રીગૌડ માળવિય બ્રાહ્મણ  જ્ઞાતિ સમાજની સાધારણસભામા સંપૂર્ણ સહમતિથી કુલ ૧૧ જ્ઞાતિજનોની ટ્રસ્‍ટી તરીકે વરણી કરવામાં આવેલ, તે ૧૧ ટ્રસ્‍ટીઓની મીટીંગ મળી ગયેલ,ઉપરોકત તમામ ટ્રસ્‍ટીઓ દ્વારા સામુહિક નિર્ણયથી હોદેદારોની નિમણૂંક કરવામાં આવેલ છે.

જેઓ (૧) પ્રમુખ  શૈલેષભાઇ આર દવે, (૨) ઉપ.પ્રમુખ સનતભાઇ જે પંડ્‍યા , (૩) મંત્રી મુકુંદભાઈ એસ પુરોહિત, (૪) સહ.મંત્રી ઉમાકાન્‍તભાઈ આઈ ભટ્ટ, (૫) ખજાનચી જસવંતભાઈ જે ભટ્ટ, (૬) સભ્‍ય જગદીશભાઈ એચ પુરોહિત, (૭) સભ્‍ય અશોકભાઈ આર પંડ્‍યા, (૮) સભ્‍ય  નલીનભાઇ આર દવે,(૯) સભ્‍ય મુકેશભાઈ આર ભટ્ટ, (૧૦) સભ્‍ય  હિતેષભાઇ એન દવે, (૧૧) સભ્‍ય રૂપમભાઇ સી જોશીની વરણી કરાઈ છે.

ઉપરોકત ટ્રસ્‍ટીઓ પૈકીના નવનિયુક્‍ત હોદેદારો નું  જ્ઞાતિ વરિષ્‍ઠ મહેન્‍દ્રભાઇ ભટ્ટ, જ્ઞાતિ અગ્રણી સનતભાઇ પંડ્‍યા, તેમજ વરિષ્‍ઠ પત્રકાર (સંદેશ) ધીરૂભાઈ પુરોહિત તેમજ સોરઠીય શ્રીગૌડ માળવિય બ્રહમ સેવા (રાસોત્‍સવ) સમિતિ-જુનાગઢના તમામ સભ્‍યો દ્વારા ખેસ પહેરાવી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

ઉપરોક્‍ત વરણી પામેલ હોદેદારો તેમજ ટ્રસ્‍ટીઓ જ્ઞાતિ સમાજના વિકાસ અને ઉત્‍થાન માટે સતત કાર્યરત રહેશે તેવી ખાત્રી આપી હતી તેવું શ્રી કેતનભાઈ ભટ્ટ તથા વિરેનભાઇ ભટટની યાદીમાં જણાવે છે

(12:52 pm IST)