Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

કુળદેવી કનકાઇ માતાજીના મંદિરે કાલે પાટોત્‍સવ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૨૫: ગીર મધ્‍યે બિરાજેલા અને ૮૪ જ્ઞાતિના કુળદેવી કનકાઈ નાતાજીના મંદિર ખાતે રવિવારના પાટોત્‍સવનું આયોજન ટેમ્‍પલ ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવ્‍યું છે.

આ પ્રસંગે સવારે માતાજીના શણગાર આરતી બાદ ગૌશાળાની ગાયોનું ગૌપૂજન કરવામાં આવશે.ત્‍યારબાદ ૯ કલાકે મંદિરના તમામ શિખરો ઉપર નૂતન ધ્‍વજા આરોહણ અને પૂજા વિધિ કરવામાં આવશે.બાદ યજ્ઞ આરંભ અને મા કનકાઈ માતાજીને સોડશોપચારનો જલાભિષેક કરવામાં આવશે. તેમ નરેન્‍દ્રભાઈ જાનીએ જણાવ્‍યું હતું.

તમામ શિખરો ઉપર નૂતન ધ્‍વજારોહણ અને પૂજા વિધિ, માતાજીને જલાભિષેક કરાશે. પાટોત્‍સવના મુખ્‍ય યજમાનપદે મુંબઈના અનિલભાઈ અમળતલાલ શાહ પરિવાર રહેશે.

જલારામ મંદિરે સમૂહ જ્ઞાતિ પ્રસાદ

વિસાવદરમાં લોહાણા મહાજન વાડી ખાતે આજે શનિવારે રાત્રે ૯ કલાકે જનરલ બોર્ડની અગત્‍યની મિટીંગનું આયોજન કરાયું છે.જેમાં જ્ઞાતિ ભાઈઓને ઉપસ્‍થિત રહેવા જણાવાયું છે.

આ ઉપરાંત વિસાવદર સ્‍થિત જલારામ બાપાનાં મંદિરે રવિવારે સાંજે ૭ કલાકે આરતી અને ત્‍યારબાદ સમુહ જ્ઞાતિ પ્રસાદનું આયોજન કરાયું છે.

મોબાઈલની ચોરી

વિસાવદરના દિનેશભાઇ અરવિંદભાઈ અને તેના પત્‍ની ગુરૂવારી બજારમાં ખરીદી કરવા ગયેલા ત્‍યારે અજાણ્‍યાં શખ્‍સે તેની નજર ચુકવી પર્સમાં રાખેલા ફોન ચોરી ગયો હતો.

ભોળાનાથની નગરયાત્રા નીકળી

પોપટડી નદીને કાંઠે આવેલા અતિ પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના સાનિધ્‍યમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી અંતર્ગત જગ્‍યાના મહંત પૂ. હિરાપુરીબાપુ હનુમાનપુરીબાપુ ગૌસ્‍વામી ની રાહબરી હેઠળ ભોળાનાથની નગરયાત્રા (શોભાયાત્રા)નું આયોજન કરવામાં આવ્‍યુ હતુ. જે શહેરના વિવિધ રસ્‍તાઓ પર ફરી હતી.શોભાયાત્રામા શણગારેલા ટ્રેકટરોમા બાળકો દ્વારા વિવિધ ધાર્મિક પાત્રોની વેશભૂષા સાથે સજ્જ થયા હતા.

(12:48 pm IST)