Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

પુ.પટેલબાપુની પુણ્‍યતિથી નિમીતે ભજન સંધ્‍યા

જુનાગઢ : કોમી એકતાના પ્રતિક એવા ઉપલા દાતારની જગ્‍યા ખાતે જગ્‍યાના બ્રહ્મલીન મહંત પુ.પટેલબાપુની ગઇકાલે ૩૩મી પુણ્‍યતિથી પુ. ભીમબાપુના સાનિધ્‍યમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહાયજ્ઞ પુ.બાપુની સમાધીનું  પુજન અને રાત્રે ભજન સંધ્‍યાના કાર્યક્રમમાં મનોરંજન પંડયા બિરજુ બારોટ, શૈલેષ મહારાજ તથા મયુર દવે સહિતના કલાકારોએ સંતવાણીના સુર રેલાવ્‍યા હતા. આ તકે જુનાગઢના પુર્વ મેયર જયોતિબેન વાછાણી એસઓજીના પી.આઇ. એ.એમ. ગોહિલ, પી.એસ.આઇ. વી.કે.ઉંજીયા, ફોરેસ્‍ટ બી.એ.શીલુ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી સહિતના બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી ધર્મલાભ લીધો હતો. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : મુકેશ વાઘેલા)

(12:43 pm IST)