Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

આટકોટ ગામે નવાગામ માધવીપુર જસાપર ના માલધારીના સમાજ ના,૪૦૦ જેટલા પદયાત્રીઓનું દ્વારકા જવા પ્રસ્‍થાન

  આટકોટ : નવાગામ જસાપર માધવીપુર પીપળીયા સહિતના માલધારી સમાજના પદયાત્રીઓ આજે ઠાકરના મંદિરે ધજા મહોત્‍સવ કરી દર્શન કરી દ્વારકા જવા -સ્‍થાન કર્યું હતું અંદાજે ૪૦૦ જેટલા પદયાત્રીઓ આ પદયાત્રામાં જોડાયા હતા આ સંઘ આઠ વર્ષથી જઈ રહ્યો છે આટકોટ થી અંદાજે 300 km સુધી દ્વારકા પદયાત્રા દર વર્ષે કરી રહ્યા છે અને ધૂળેટીના દિવસે દ્વારકાધીશના દર્શન કરે છે રાજકોટમાં આવેલ ઠાકર મંદિરે આજે ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું અને ધજા રોહન તેમજ ભજન સત્‍સંગ તેમજ જમણવારે સહિતનું આયોજન રાખવામાં આવ્‍યું તેને મોટી સંખ્‍યામાં માલધારી સમાજના વડીલો આ પદયાત્રામાં જોડાયા હતા. ડીજેના તાલ સાથે આટકોટ ગામમાંથી કૈલાશ નગર સુધી ઠાકરના મંદિરે સુધી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું (તસ્‍વીર : કરશન બામટા,આટકોટ)

(11:48 am IST)